પ્રભુ વંદના

गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारूभक्षणम् ।
उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम् ॥ १ ॥
ગજાનનં ભૂતગણાદિસેવિતં કપિત્થજમ્બૂફલચારૂભક્ષણમ્ ।
ઉમાસુતં શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વરપાદપઙ્કજમ્ ॥ ૧ ॥
 
જે હાથીના મોઢાવાળા છે, સમગ્ર સૃષ્ટિનાં પ્રાણીઓ દ્વારા જેમની પૂજાસેવા થાય છે, જે કોઠું અને જાંબુને બહુ સુંદર રીતે આરોગનારા છે, જે શોકનો નાશ કરવાવાળા છે અને જે ભગવતી ઉમાના પુત્ર છે, તે વિઘ્નોનો નાશ કરનારા ગણેશજીનાં ચરણકમળોમાં હું પ્રણામ કરું છું.
 
ध्यानाभ्यासवशीकृतेन मनसा तन्निर्गुणं निष्क्रियं
ज्योतिः किञ्चन योगिनो यदि परं पश्यन्ति पश्यन्तु ते ।
अस्माकं तु तदेव लोचनचमत्काराय भूयाच्चिरं
कालिन्दीपुलिनोदरे किमपि यन्निलं महो धावति ॥ २ ॥
ધ્યાનાભ્યાસવશીકૃતેન મનસા તન્નિર્ગુણં નિષ્ક્રિયં
જ્યોતિઃ કિઞ્ચન યોગિનો યદિ પરં પશ્યન્તિ પશ્યન્તુ તે ।
અસ્માકં તુ તદેવ લોચનચમત્કારાય ભૂયાચ્ચિરં
કાલિન્દીપુલિનોદરે કિમપિ યન્નિલં મહો ધાવતિ ॥ ૨ ॥
 
યોગી લોકો ધ્યાન દ્વારા વશીભૂત થયેલા મન વડે કોઇ નિર્ગુણ અને નિષ્ક્રિય પરમ જ્યોતિનું દર્શન કરતા હોય તો કરતા રહે, પણ અમારે માટે તો યમુનાકિનારે મેઘવર્ણનું જે તેજ દોડી રહ્યું છે, તે જ સદાકાળા આંખોમાં ચમક લાવે છે.
 
यावंरिञ्जनमजं पुरुषं जरन्तं
संचिन्तयामि निखिले जगति स्फुरन्तम् ।
तावद् बलात् स्फुरति हन्त ह्रदन्तरे मे
गोपस्य कोङपि शिशुरञ्जनपुञ्जमञ्जुः ॥ ३ ॥
યાવંરિઞ્જનમજં પુરુષં જરન્તં
સંચિન્તયામિ નિખિલે જગતિ સ્ફુરન્તમ્ ।
તાવદ્ બલાત્ સ્ફુરતિ હન્ત હ્રદન્તરે મે
ગોપસ્ય કોઙપિ શિશુરઞ્જનપુઞ્જમઞ્જુઃ ॥ ૩ ॥
 
અહો ! જ્યારે હું સંપૂર્ણ જગતમાં સ્ફુરિત થનારા નિરંજન, અજન્મા અને પુરાતન પુરુષનું ચિંતન કરું છું, ત્યારે મારા હ્રદયમાં કાજળસમૂહ સમાન કાળા વર્ણવાળો કોઇ બાળગોપાળ બળપૂર્વક સ્ફુરિત થવા લાગે છે.
 
नविद्या येषां श्रीर्न शरणनपीषन्न च गुणाः
परित्यक्ता लोकैरपि वृजिनयुक्ताः श्रुतिजडाः ।
शरण्यं यं तेङपि प्रसृतगुणमाश्चित्य सुजना
विभुक्तास्तं वन्दे यदुपतिमहं कृष्णममलम् ॥ ४ ॥
નવિદ્યા યેષાં શ્રીર્ન શરણનપીષન્ન ચ ગુણાઃ
પરિત્યક્તા લોકૈરપિ વૃજિનયુક્તાઃ શ્રુતિજડાઃ ।
શરણ્યં યં તેઙપિ પ્રસૃતગુણમાશ્ચિત્ય સુજના
વિભુક્તાસ્તં વન્દે યદુપતિમહં કૃષ્ણમમલમ્ ॥ ૪ ॥
 
જેમની પાસે વિદ્યા નથી, ધન નથી અને કોઇ આશ્રય નથી; જેમનામાં કોઇ ગુણ નથી, વેદશાસ્ત્રોનું જ્ઞાન નથી; જેમને સંસારના લોકોએ પાપી સમજીને છોડી દીધા છે, એવા મનુષ્યો પણ જો શરણાગતપાલક પ્રભુને શરણે જઇને સંત બની જાય છે અને મુક્ત થઇ જાય છે, એવા વિશ્વવિખ્યાત ગુણોવાળા નિર્મળ યદુનાથ ભગવાન શ્રીકૃષ્ણને હું પ્રણામ કરું છું.
 
यस्य श्रीकरुणार्णवस्य करुणालेशेन बालो ध्रुवः
स्वेष्टं प्राप्य समार्यधाम समगाद्रङ्कोङप्यविन्दच्छ्रियम् ।
याता मुक्तिमजामिलादिपतिताः शैलाङपि पूज्योङभवत्
तं श्रीमाधवमाश्चितेष्टदमहं नित्यं शरण्यं भजे ॥ ५ ॥
યસ્ય શ્રીકરુણાર્ણવસ્ય કરુણાલેશેન બાલો ધ્રુવઃ
સ્વેષ્ટં પ્રાપ્ય સમાર્યધામ સમગાદ્રઙ્કોઙપ્યવિન્દચ્છ્રિયમ્ ।
યાતા મુક્તિમજામિલાદિપતિતાઃ શૈલાઙપિ પૂજ્યોઙભવત્
તં શ્રીમાધવમાશ્ચિતેષ્ટદમહં નિત્યં શરણ્યં ભજે ॥ ૫ ॥
 
જે કરુણાસાગર ભગવાનની કરુણાના અંશમાત્રથી જ બાળક ધ્રુવે પોતાની ઇચ્છિત વસ્તુ મેળવીને શ્રેષ્ઠ પુરુષોના લોકને મેળવ્યો, દરિદ્ર સુદામાએ લક્ષ્મી પ્રાપ્ત કરી, સજામિલ વગેરે પાપીઓએ મોક્ષ પ્રાપ્ત કર્યો અને ગોવર્ધન પર્વત પણ પૂજ્ય બની ગયો, એવા શરણાગત ભક્તોને ઇચ્છિત વસ્તુ આપવાવાળા શરણ લેવા યોગ્ય ભગવાન શ્રીમાધવનું હું નિત્ય ભજન કરું છું.
 
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्
देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरूम् ॥ ६ ॥
વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ્
દેવકીપરમાનન્દં કૃષ્ણં વન્દે જગદ્ગુરૂમ્ ॥ ૬ ॥
 
જે વસુદેવજીના પુત્ર, દિવ્ય રૂપ ધરનારા, કંસ તથા ચાણૂરનો નાશ કરનારા અને દેવકીજીને માટે પરમ આનંદસ્વરૂપ છે, તે જગદ્ગુરુ ભગવાન શ્રીકૃષ્ણને હું વંદન કરું છું.
 
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् ।
देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ॥ ७ ॥
નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમમ્ ।
દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત્ ॥ ૭ ॥
 
ભગવાન શ્રીકૃષ્ણ તથા મનુષ્યોમાં શ્રેષ્ઠ અર્જુનને અને દેવી સરસ્વતી તથા વેદવ્યાસજીને નમસ્કારા કરીને પછી મહાભારતની કથા કરવી જોઇએ.