મોક્ષ જીવનનું પરમ લક્ષ્ય છે. જીવનના ઉદ્દેશ્યની પૂર્ણતા મોક્ષ છે. મોક્ષની પ્રાપ્તિ અર્થાત્ જન્મ-મૃત્યુના બંધનથી મુક્તિ મળવા પર મૃત્યુલોકનું જીવન સમાપ્ત થાય છે. આપણા જીવનું વાસ્તવિક લક્ષ્ય જાણી લેવું જ મુક્તિ કે મોક્ષ કહેવાય છે.
સત્ય બોલો. રમત-ગમતમાં પણ બીજાને હાની ન પહોંચાડો. માતા-પિતા, ગુરૂજનો અને શિક્ષકોનું સમ્માન કરો અને એમનું કહેવું માનો. બધા સાથે પ્રેમભાવ રાખો. જેમ બને તેમ સૌની સેવા કરો. પ્રાણીઓ-જાનવરો પર પણ દયા રાખો. બધાના સહાયક બનો. ઈશ્વર સૌનો પ્રભુ છે.
સંસારના બધા સંબંધોથી માનસિક નિરાસક્તિ (મોહનો ત્યાગ) જ સાચુ વૈરાગ્ય કહેવાય છે અને એ જ સર્વોચ્ચ છે. કોઈ પુરુષ સંસારમાં રહીને પણ પૂર્ણ નિરાસક્ત ભાવથી પોતાના કર્તવ્યનું પાલન કરી શકે છે. એનાથી કોઈ અંતર પડતું નથી જો તે પોતાના પરિવાર અને છોકરા-છોકરીઓ સાથે રહે છે.
બ્રહ્મ દેશ-કાળ-કારણથી અતીત પરમાત્મા છે. તે અસીમ છે, શાંત છે તથા બધા શરીરોમાં સમાન રૂપથી પ્રતિભાસિત હોય છે. તે કોઈ નિર્દિષ્ટ પદાર્થ નહીં હોય શકે. તે ચૈતન્ય છે. તે વસ્તુ છે. તે ગુપ્ત નિધિ છે. તે મણિઓના મણિ છે, રત્નોના રત્ન છે.