સાધન ચતુષ્ટ્ય

મનુષ્ય તેના જીવનમાં જે પણ પ્રાપ્ત કરી શકે છે, તેને પુરૂષાર્થ કહે છે. પુરૂષાર્થના બે પ્રકાર છે - અભ્યુદય અને નિઃશ્રેયસ. અભ્યુદયની અંતર્ગત ભૌતિક ઉન્નતિ આવે છે, અને તેને ત્રણ ભાગોમાં વહેંચી શકાય છે - ધર્મ, અર્થ અને કામ. આ લોકમાં અથવા સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોમાં આને પ્રાપ્ત કરી શકાય છે. આ બધી ઉપલબ્ધિઓ કર્મ-સાધ્ય અને નશ્વર છે. નિઃશ્રેયસ પરમ પુરૂષાર્થ છે. એનાથી નિત્ય આનંદસ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આજ અવસ્થામાં પુનર્જન્મનું ક્લેશ રહેતું નથી. એને મુક્તિ કહેવાય છે. મુક્તિ પ્રાપ્ત કરવા માટે આપણી અંદર કંઇક યોગ્યતા હોવી જોઇએ. અહીં એનું વર્ણન કરવામાં આવ્યું છે.
 
साधनचतुष्ट्य संपन्न अधिकारिणां मोक्षसाधनभूतं
तत्वविवेक प्रकारं वक्ष्यामः ।
સાધનચતુષ્ટ્ય સંપન્ન અધિકારિણાં મોક્ષસાધનભૂતં
તત્વવિવેક પ્રકારં વક્ષ્યામઃ ।
 
[ભાવાર્થ]
આપણે એજ પ્રકારના તત્ત્વવિવેકનું વર્ણન કરીએ જે સાધનચતુષ્ટ્યથી સમ્પન્ન અધિકારી પુરુષો માટે મોક્ષના સાધનસ્વરૂપ છે.
 
[વ્યાખ્યા]
કર્મો, પરિસ્થિતિઓ, વ્યક્તિઓ અને વસ્તુઓની પરતંત્રતામાં જીવન જીવવું દુઃખમય છે. દરેક વ્યક્તિ સ્વભાવથી સુખમય જીવન જીવવા ઇચ્છે છે. સુખી રહેવા માટે એણે પરતંત્રતા ત્યાગી સ્વતંત્ર અથવા મુક્ત થઇ જવું જોઇએ. પરંતુ સ્વતંત્ર થવા માટે સ્વેચ્છાચારી બનવું ઉચિત નથી. સ્વેચ્છાચારી મનુષ્ય મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી અસામાન્ય છે, મુક્ત નહી. એનાથી ન એ પોતે સુખી થાય છે, કે ન એનો સમાજ.
 
ભારતીય અધ્યાત્મ વિદ્યાનો આ ભલી-ભાંતિ પરિક્ષા કરેલ નિર્ણય છે કે મનુષ્યે યથાર્થ રૂપમાં સ્વતંત્ર અથવા જીવન્મુક્ત થવા માટે પોતાના વિકસિત વિવેકનો પ્રયોગ કરવો જોઇએ. એજ મોક્ષનું સાધન છે. આજ ગ્રંથમાં આગળ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે વિવેકથી મનુષ્ય જીવન આનંદમય બની શકે છે. અહીંયાં પહેલે એ બતાવવું આવશ્યક છે કે તત્ત્વવિવેકનો ઉદય એજ પુરૂષોમાં થાય છે જે સાધન ચતુષ્ટ્યથી સમ્પન્ન છે. તેથી તત્ત્વવિવેકના અધિકારી બનવા માટે ચાર મહત્વપૂર્ણ ગુણોને જાણવું અને એને પોતામાં વિકસિત કરવું જોઇએ. તેથી પ્રશ્ન છે -  
 
साधनचतुष्ट्यं किम् ?
नित्यानित्यवस्तु विवेकः
इहामुत्रार्थफलभोग विरागः
शमादिषट्संपत्ति मुमुक्षुत्वं चेति ।
સાધનચતુષ્ટ્યં કિમ્ ?
નિત્યાનિત્યવસ્તુ વિવેકઃ
ઇહામુત્રાર્થફલભોગ વિરાગઃ
શમાદિષટ્સંપત્તિ મુમુક્ષુત્વં ચેતિ ।
 
[ભાવાર્થ]
ચાર સાધન શું છે?  - (૧) નિત્ય અને અનિત્ય વસ્તુનું વિવેક (૨) આ લોક અને પરલોકમાં પોતાના કર્મોના ફળભોગથી વૈરાગ્ય (૩) શમ આદિ છ સંપત્તિઓ અને (૪) મુમુક્ષત્વ [આ ચાર સાધન ચતુષ્ટ્ય કહેવાય છે.]
 
વ્યાખ્યા - સાધન ચતુષ્ટ્યની અંતર્ગત વિવેક, વૈરાગ્ય, ષટ્ સંપત્તિ અને મુમુક્ષત્વ આવે છે. આ ગુણ બધા મનુષ્યોમાં થોડી માત્રામાં હોય છે. પરંતુ એક વિશેષ સ્તર સુધી વિકસિત થવા પર આ ગુણ મનુષ્યને અધ્યાત્મ વિદ્યાનો અધિકારી બનાવી દે છે. સાચું-ખોટુ, હાનિ-લાભ, અને શુભ-અશુભ વગેરેનો ભેદ વિવેક છે. ઘરની કોઈ અશિક્ષિત બાલિકાને પણ કંઈક વિવેક છે. તે ઘરની નકામી વસ્તુઓ અને કચરાને ઝાડુ લગાવીને બહાર ફેંકી દે છે કારણ કે તે ઉપયોગી નથી. તથા જે વસ્તુઓ ઉપયોગી છે તેને ઘરની અંદર સંભાળીને રાખે છે. જ્યારે આ વિવેક શક્તિ વધીને નિત્ય અને અનિત્યનો ભેદ કરવા લાગે તો તે અધ્યાત્મ વિદ્યામાં સહાયક બને છે.
 
વૈરાગ્ય પણ આપણા બધામાં હોય છે. તેથી જ આપણે અનુપયોગી વસ્તુઓનો સંગ્રહ નથી કરતા. પરંતુ જ્યારે બધા કર્મફળ ભોગમાં દોષ દેખાવા માંડે અને હ્રદયથી તેનો ત્યાગ કરી દે તો એવું વૈરાગ્ય મુમુક્ષુઓ માટે ઉપયોગી છે.
 
ષટ્ સંપત્તિઓ શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન છે. મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છા મુમુક્ષત્વ છે. હવે આ ગુણોને અધિક સ્પષ્ટ કરીએ -
 
======== * ========