ત્રણ અવસ્થાઓ
अवस्थात्रयं किम् ?
जाग्रत्स्वप्नसुषुप्तवस्थाः ।
અવસ્થાત્રયં કિમ્ ?
જાગ્રત્સ્વપ્નસુષુપ્તવસ્થાઃ ।
[ભાવાર્થ]
ત્રણ અવસ્થાઓ શું છે?
જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ જ ત્રણ અવસ્થાઓ છે.
[વ્યાખ્યા]
આપણે આપણા અનુભવથી જાણીએ છીએ કે જાગવું અને સૂવું એમ બે અવસ્થાઓ છે. જાગવા પર આપણે બાહ્ય જગતનો અનુભવ કરીએ છીએ અને એમાં વ્યવહાર પણ કરીએ છીએ. સૂવા પર આપણો સંબંધ ટૂટી જાય છે. નિદ્રાની બે અવસ્થાઓ હોય છે - સ્વપ્નરહિત અર્થાત્ સુષુપ્તિ અને સ્વપ્નસહિત. આ રીતે ચોવીસ કંલાકમાં આપણે આજ ત્રણ અવસ્થાઓમાં વિચરણ કરતા રહીયે છીએ. આ ત્રણેય અવસ્થાઓનો સંબંધ ત્રણ શરીરો સાથે કયા પ્રકારે છે તેનું વર્ણન આપણે કરીએ.
>> જાગ્રત અવસ્થા
जाग्रदवस्था का?
श्रोत्रादि ज्ञानेन्द्रियैः शब्दादिविषयैश्च ज्ञायते,
इति यत् सा जाग्रदवस्था ।
स्थूल शरीराभिमानी, आत्मा विश्व इत्युच्यते ।
જાગ્રદવસ્થા કા?
શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયૈઃ શબ્દાદિવિષયૈશ્ચ જ્ઞાયતે,
ઇતિ યત્ સા જાગ્રદવસ્થા ।
સ્થૂલ શરીરાભિમાની, આત્મા વિશ્વ ઇત્યુચ્યતે ।
[ભાવાર્થ]
જાગ્રત અવસ્થા શું છે?
જે અવસ્થામાં શ્રોત્ર આદિ જ્ઞાન ઇન્દ્રિય શબ્દ આદિ વિષયોનું ગ્રહણ કરે છે તે અવસ્થાને જાગ્રત અવસ્થા કહેવાય છે. આ સમયે આત્મા સ્થૂલ શરીર અભિમાની થઈને 'વિશ્વ' તરીકે કહેવાય છે.
[વ્યાખ્યા]
આત્મા અશરીરી છે. અવિદ્યામાં આનું જ્ઞાન નથી હોતું, માનો આત્મા અવિદ્યારૂપી કારણ શરીરથી આવૃત હોય. આ કારણ શરીરધારી આત્મા જ્યારે સૂક્ષ્મ અને સ્થૂલ શરીરોથી તાદાત્મ્ય કરે છે તો તે ત્રણે શરીરોથી યુક્ત હોય છે. આ સમયે એને 'વિશ્વ', 'વૈશ્વ' કે 'વૈશ્વનાર' કહેવાય છે, કારણ કે આ અવસ્થામાં આત્મા વિશ્વ સાથે સંપર્ક કરી એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જગતમાં સ્થિત શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનું વર્ણન પહેલા કરવામાં આવ્યું છે. તેને આપણે શ્રોત્ર, ત્વચા, નેત્ર, રસના, અને ઘ્રાણથી ગ્રહણ કરીએ છીએ. જે સમયે આ વ્યાપાર થાય છે તેને જાગ્રત અવસ્થા કહેવાય છે.
>> સ્વપ્ન અવસ્થા
स्वप्नावस्था केति चेत् ?
जाग्रदवस्थायां यद् दृष्टं,
यद् श्रुतं, तज्जनितावसनया,
निद्रासमये यः प्रञ्चः प्रतीयते,
सा स्वप्नावस्था ।
सूक्ष्म शरीराभिमानी, आत्मा तैजस इत्युच्चते ।
સ્વપ્નાવસ્થા કેતિ ચેત્ ?
જાગ્રદવસ્થાયાં યદ્ દૃષ્ટં,
યદ્ શ્રુતં, તજ્જનિતાવસનયા,
નિદ્રાસમયે યઃ પ્રઞ્ચઃ પ્રતીયતે,
સા સ્વપ્નાવસ્થા ।
સૂક્ષ્મ શરીરાભિમાની, આત્મા તૈજસ ઇત્યુચ્ચતે ।
[ભાવાર્થ]
સ્વપ્નાવસ્થા શું છે?
જાગ્રત અવસ્થામાં જે કઈ જોયું-સાંભળ્યું છે તેનાથી બની વાસનાથી નિદ્રા સમયે જે પ્રપંચ અનુભવમાં આવે છે તેને સ્વપ્નાવસ્થા કહે છે. સૂક્ષ્મશરીર અભિમાની આત્મા 'તૈજસ' કહેવાય છે.
[વ્યાખ્યા]
નિદ્રાની એક અવસ્થા સ્વપ્ન છે. સ્વપ્નની રચના આપણી પોતાની વાસનાઓને કારણે થાય છે. આ વાસનાઓ જાગ્રત અવસ્થામાં થયેલી હોય છે. જ્યારે આપણે વિષયોની આસક્તિમાં બંધાયને એનો ભોગ કરીયે છીએ તો આપણા ચિત્તમાં એના સંસ્કાર બને છે. બીજ રૂપમાં વાસનાના આ સંસ્કાર આત્મસ્વરૂપનું આવરણ બને છે અને તે જ પ્રપંચનો વિસ્તાર થઈને સ્વપ્ન રૂપે રચાય છે.
સ્વપ્નની અવસ્થામાં આત્માનો સંબંધ કારણ અને સૂક્ષ્મ શરીરો સાથે જ રહી જાય છે, તેથી તેને 'તૈજસ' કહે છે. સ્વપ્ન લોકમાં સૂર્ય પ્રકાશ નથી પહોંચી શકતો, ત્યાં આત્માના પ્રકાશમાં જ બધું દેખાય છે. જ્ઞાતા અને જ્ઞેય બન્ને સૂક્ષ્મ પ્રકૃતિથી નિર્મિત છે. તેને આત્માની ચેતના એજ પ્રકારે પ્રકાશિત કરવામાં સમર્થ છે જે પ્રકારે આપણી બુદ્ધિ આત્માથી પ્રકાશિત છે.
>> સુષુપ્તિ અવસ્થા
अतः सुषुप्ति अवस्था का ?
अहं किमपि न जानामि,
सुखेन मया निद्राऽनुभूयत,
इति सुषुप्त्यवस्था ।
कारणशरीराभिमानि, आत्मा प्राज्ञ इत्युच्यते ।
અતઃ સુષુપ્તિ અવસ્થા કા ?
અહં કિમપિ ન જાનામિ,
સુખેન મયા નિદ્રાઽનુભૂયત,
ઇતિ સુષુપ્ત્યવસ્થા ।
કારણશરીરાભિમાનિ, આત્મા પ્રાજ્ઞ ઇત્યુચ્યતે ।
[ભાવાર્થ]
તેથી સુષુપ્તિ અવસ્થા શું છે?
"હું કઈ પણ નથી જાણતો, હુંએ સુખથી નિદ્રાનો અનુભવ કર્યો છે" - આ સુષુપ્તાવસ્થા છે.
કારણ શરીરની અભિમાની આત્મા 'પ્રાજ્ઞ' કહવાય છે.
[વ્યાખ્યા]
સ્વપ્ન ઉપરાંત નિદ્રાની બીજી અવસ્થા સુષુપ્તિ છે. આ અવસ્થામાં કશું પણ જ્ઞાત (કે જ્ઞાન) નથી હોતું. જાગવા પર સ્મરણ થાય છે કે મેં ગાઢ નિદ્રામાં સુખથી સૂય રહ્યો. આ જ સ્મૃતિ એ અવસ્થાના અનુભવનું પ્રમાણ છે. સ્વપ્ન અને જાગ્રતિનો અનુભવ ન રહેવાને કારણે એના દુઃખદ પ્રભાવ પણ જ્ઞાત નથે રહેતા. તેથી તે સુખની અવસ્થા છે. સુષુપ્તિનું સુખ જાગ્રતિ અને સ્વપ્નના સુખની અપેક્ષા (તુલનામાં) ઉચ્ચ સ્તરનું હોય છે. જાગૃત અવસ્થામાં કોઈ વ્યક્તિ કેટલો પણ ધની હોય કે વિષય સુખોથી ભરપૂર હોય, પરંતુ સુષુપ્તિનું સુખ તે પણ ઇચ્છે છે, તેથી તે એવો વિસ્તાર બનાવીને સૂય છે જેથી તેની નિદ્રામાં બાધા ન આવે.
સુષુપ્તિ અવસ્થામાં આત્માનું તાદાત્મ્ય એક જ શરીર સાથે રહે છે. આ એક શરીર અવિદ્યા કે વાસનાથી નિર્મિત હોવાને કારણે આત્માને આવૃત કરી લે છે. તેથી કારણ શરીરના અભિમાની જીવ ન આપણા આત્માસ્વરૂપને જાણે છે ન તો નામસૂપાકાર જગતને જાણે છે. બન્ને પ્રકારે પ્રકર્ષ અજ્ઞાન હોવાને કારણે આ અવસ્થામાં જીવને પ્રાજ્ઞ કહેવાય છે. તો પણ આ અવસ્થાનો અનુભવ જીવને કોઈક રીતે રહે છે, તો જ તો જાગવા પર એનું સ્મરણ રહે છે. જો સુષુપ્તિમાં એટલું અધિક અજ્ઞાન થઈ ગયું હોય કે એનું સ્મરણ પણ ન રહે તો આપણને એ અવસ્થાની જાણકારી નથી થઈ શકતી. આ તર્કના આધારે આપણે કહી શકીએ છીએ કે 'प्रायेण अज्ञः' હોવાને કારણે એ સમયે જીવ પ્રાજ્ઞ હોય છે.
જીવની આ ત્રણેય અવસ્થાઓના વિવેચનથી સ્પષ્ટ છે કે આત્મા અશરીરી છે. તે શરીર ધારણ કરી જીવ તરીકે ઓળખાય છે. જીવ સુષુપ્તિમાં આપણું-પરાયુંને નથી જાણતો પરંતુ સ્વપ્ન અને જાગ્રત અવસ્થામાં નાનાત્વનો અનુભય કરે છે. શુદ્ધ આત્મા આ ત્રણેય અવસ્થા માટે પ્રકાશક અને તેનાથી અસંગ છે. તેથી તે સાક્ષી કે દ્રષ્ટા કહેવાય છે.
નોંધ - આ ત્રણેય અવસ્થાને ખુબ જ સારી રીતે સમજવી. ખાસ કરીને સુષુપ્તિ અવસ્થાને સારી રીતે સમજવા માટે એની વાખ્યાને વારંવાર વાચવી.
======== * ========
- Printer-friendly version
- 768 reads


