સાધન ચતુષ્ટ્ય

મનુષ્ય તેના જીવનમાં જે પણ પ્રાપ્ત કરી શકે છે, તેને પુરૂષાર્થ કહે છે. પુરૂષાર્થના બે પ્રકાર છે - અભ્યુદય અને નિઃશ્રેયસ. અભ્યુદયની અંતર્ગત ભૌતિક ઉન્નતિ આવે છે, અને તેને ત્રણ ભાગોમાં વહેંચી શકાય છે - ધર્મ, અર્થ અને કામ. આ લોકમાં અથવા સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોમાં આને પ્રાપ્ત કરી શકાય છે. આ બધી ઉપલબ્ધિઓ કર્મ-સાધ્ય અને નશ્વર છે. નિઃશ્રેયસ પરમ પુરૂષાર્થ છે. એનાથી નિત્ય આનંદસ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આજ અવસ્થામાં પુનર્જન્મનું ક્લેશ રહેતું નથી. એને મુક્તિ કહેવાય છે. મુક્તિ પ્રાપ્ત કરવા માટે આપણી અંદર કંઇક યોગ્યતા હોવી જોઇએ. અહીં એનું વર્ણન કરવામાં આવ્યું છે.
 
साधनचतुष्ट्य संपन्न अधिकारिणां मोक्षसाधनभूतं
तत्वविवेक प्रकारं वक्ष्यामः ।
સાધનચતુષ્ટ્ય સંપન્ન અધિકારિણાં મોક્ષસાધનભૂતં
તત્વવિવેક પ્રકારં વક્ષ્યામઃ ।
 
[ભાવાર્થ]
આપણે એજ પ્રકારના તત્ત્વવિવેકનું વર્ણન કરીએ જે સાધનચતુષ્ટ્યથી સમ્પન્ન અધિકારી પુરુષો માટે મોક્ષના સાધનસ્વરૂપ છે.
 
[વ્યાખ્યા]
કર્મો, પરિસ્થિતિઓ, વ્યક્તિઓ અને વસ્તુઓની પરતંત્રતામાં જીવન જીવવું દુઃખમય છે. દરેક વ્યક્તિ સ્વભાવથી સુખમય જીવન જીવવા ઇચ્છે છે. સુખી રહેવા માટે એણે પરતંત્રતા ત્યાગી સ્વતંત્ર અથવા મુક્ત થઇ જવું જોઇએ. પરંતુ સ્વતંત્ર થવા માટે સ્વેચ્છાચારી બનવું ઉચિત નથી. સ્વેચ્છાચારી મનુષ્ય મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી અસામાન્ય છે, મુક્ત નહી. એનાથી ન એ પોતે સુખી થાય છે, કે ન એનો સમાજ.
 
ભારતીય અધ્યાત્મ વિદ્યાનો આ ભલી-ભાંતિ પરિક્ષા કરેલ નિર્ણય છે કે મનુષ્યે યથાર્થ રૂપમાં સ્વતંત્ર અથવા જીવન્મુક્ત થવા માટે પોતાના વિકસિત વિવેકનો પ્રયોગ કરવો જોઇએ. એજ મોક્ષનું સાધન છે. આજ ગ્રંથમાં આગળ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે વિવેકથી મનુષ્ય જીવન આનંદમય બની શકે છે. અહીંયાં પહેલે એ બતાવવું આવશ્યક છે કે તત્ત્વવિવેકનો ઉદય એજ પુરૂષોમાં થાય છે જે સાધન ચતુષ્ટ્યથી સમ્પન્ન છે. તેથી તત્ત્વવિવેકના અધિકારી બનવા માટે ચાર મહત્વપૂર્ણ ગુણોને જાણવું અને એને પોતામાં વિકસિત કરવું જોઇએ. તેથી પ્રશ્ન છે -  
 
साधनचतुष्ट्यं किम् ?
नित्यानित्यवस्तु विवेकः
इहामुत्रार्थफलभोग विरागः
शमादिषट्संपत्ति मुमुक्षुत्वं चेति ।
સાધનચતુષ્ટ્યં કિમ્ ?
નિત્યાનિત્યવસ્તુ વિવેકઃ
ઇહામુત્રાર્થફલભોગ વિરાગઃ
શમાદિષટ્સંપત્તિ મુમુક્ષુત્વં ચેતિ ।
 
[ભાવાર્થ]
ચાર સાધન શું છે?  - (૧) નિત્ય અને અનિત્ય વસ્તુનું વિવેક (૨) આ લોક અને પરલોકમાં પોતાના કર્મોના ફળભોગથી વૈરાગ્ય (૩) શમ આદિ છ સંપત્તિઓ અને (૪) મુમુક્ષત્વ [આ ચાર સાધન ચતુષ્ટ્ય કહેવાય છે.]
 
વ્યાખ્યા - સાધન ચતુષ્ટ્યની અંતર્ગત વિવેક, વૈરાગ્ય, ષટ્ સંપત્તિ અને મુમુક્ષત્વ આવે છે. આ ગુણ બધા મનુષ્યોમાં થોડી માત્રામાં હોય છે. પરંતુ એક વિશેષ સ્તર સુધી વિકસિત થવા પર આ ગુણ મનુષ્યને અધ્યાત્મ વિદ્યાનો અધિકારી બનાવી દે છે. સાચું-ખોટુ, હાનિ-લાભ, અને શુભ-અશુભ વગેરેનો ભેદ વિવેક છે. ઘરની કોઈ અશિક્ષિત બાલિકાને પણ કંઈક વિવેક છે. તે ઘરની નકામી વસ્તુઓ અને કચરાને ઝાડુ લગાવીને બહાર ફેંકી દે છે કારણ કે તે ઉપયોગી નથી. તથા જે વસ્તુઓ ઉપયોગી છે તેને ઘરની અંદર સંભાળીને રાખે છે. જ્યારે આ વિવેક શક્તિ વધીને નિત્ય અને અનિત્યનો ભેદ કરવા લાગે તો તે અધ્યાત્મ વિદ્યામાં સહાયક બને છે.
 
વૈરાગ્ય પણ આપણા બધામાં હોય છે. તેથી જ આપણે અનુપયોગી વસ્તુઓનો સંગ્રહ નથી કરતા. પરંતુ જ્યારે બધા કર્મફળ ભોગમાં દોષ દેખાવા માંડે અને હ્રદયથી તેનો ત્યાગ કરી દે તો એવું વૈરાગ્ય મુમુક્ષુઓ માટે ઉપયોગી છે.
 
ષટ્ સંપત્તિઓ શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન છે. મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છા મુમુક્ષત્વ છે. હવે આ ગુણોને અધિક સ્પષ્ટ કરીએ -
 
======== * ========

નિત્ય-અનિત્ય વિવેક

नित्यानित्यवस्तुविवेकः कः?
नित्यवस्तु एकं ब्रह्म
तद् व्यक्तिरिक्तं सर्वम् अनित्यम्
अयमेव नित्यानित्यवस्तुविवेक्क़ ।
નિત્યાનિત્યવસ્તુવિવેકઃ કઃ?
નિત્યવસ્તુ એકં બ્રહ્મ
તદ્ વ્યક્તિરિક્તં સર્વમ્ અનિત્યમ્
અયમેવ નિત્યાનિત્યવસ્તુવિવેક્ક઼ ।
 
[ભાવાર્થ]
નિત્ય અને અનિત્ય વસ્તુનું વિવેક શું છે?
એક બ્રહ્મ જ નિત્ય વસ્તુ છે. એથી અતિરિક્ત બધુ અનિત્ય છે. આ જ નિત્યાનિત્ય વસ્તુ વિવેક છે.
 
[વ્યાખ્યા]
જે વસ્તુ થોડા કે અધિક કાળમાં નષ્ટ થઈ જાય છે, તેને અનિત્ય કહેવાય છે. આપણે આપણા અનુભવથી કેટલીક વસ્તુઓને નષ્ટ થતા જોઇએ છીએ, જેમ કે ખેતરમાં ધાનની ઊગતી, પાકતી, અને નષ્ટ થતી ફસલ. તે અનિત્ય છે. તેથી ઉપેક્ષા પૃથ્વી, સૂર્ય, ચન્દ્ર, વગેરે નિત્ય પ્રતીત થાય છે. આને નષ્ટ થતા આપણે નથી જોયા. પરંતુ વિચાર કરવા પર જ્ઞાત થાય છે વસ્તુ કોઈ કાળમાં ઉત્પન્ન થાય છે અને જેનું કોઈ નામ-રૂપ-આકાર છે તે નશ્વર છે. આ દ્રષ્ટિથી વિચાર કરવા પર જ્ઞાત થાય છે કે સૂર્ય, ચન્દ્ર, વગેરે પણ અનિત્ય છે. નિત્ય વસ્તુ કેવળ બ્રહ્મા છે. તે અનાદિ, અનંત, નામ-રૂપ-આકાર રહિત અને કાળથી પણ પરે છે. આનું વિસ્તૃત વર્ણન આગળ કરવામાં આવશે. જ્યારે બુદ્ધિમાં આ નિશ્ચય થઈ જાય કે બ્રહ્મ જ નિત્ય છે, શેષ બધુ જ અનિત્ય છે તો તેને પૂર્ણ વિવેક કહી શકાય છે.
 
======== * ========

વૈરાગ્ય

विरागः कः?
इहस्वर्ग भोगेषु इच्छाराहित्यम् ।
વિરાગઃ કઃ?
ઇહસ્વર્ગ ભોગેષુ ઇચ્છારાહિત્યમ્ ।
 
[ભાવાર્થ]
વિરાગ (વૈરાગ્ય) શું છે?
આ લોક અને સ્વર્ગ લોકના સમસ્ત ભોગોને ભોગવાની ઇચ્છા ન રહેવી એ વિરાગ (વૈરાગ્ય) છે.
 
[વ્યાખ્યા]
નિત્યાનિત્ય (નિત્ય-અનિત્ય) વસ્તુનું વિવેક થવા પર આપણે સ્વતઃ નિત્ય વસ્તુ પ્રતિ પ્રેમ અને અનિત્ય વસ્તુ પ્રતિ હેય અથવા ત્યાગ બુદ્ધિ ઉત્પન્ન થવાનો અનુભવ કરીએ છીએ. બહ્મની અતિરિક્ત આ લોકની બધી વસ્તુઓ અનિત્ય છે અને એવી જ રીતે સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોની વસ્તુઓથી મળતું સુખ પણ અનિત્ય છે અને એની સાથે દુઃખ પણ મળે છે. તેથી તેનાથી સુખની આશા ત્યાગી દેવું એ જ વૈરાગ્ય છે. રાગ (મોહ) બંધનકારક છે અને વૈરાગ્ય મુક્તિ આપનાર છે. વિરક્ત થવા પર (નિત્ય-અનિત્ય વસ્તુ જ્ઞાત થવા પર) જ આપણે નિત્ય વસ્તુ બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે આગળ વધી શકાય છે.
 
======== * ========

ષટ્ સંપત્તિ

शमादि साधनसंपत्तिः का?
शमो दम उपरमस्तितिक्षा श्रद्धा समाधानं च इति ।
શમાદિ સાધનસંપત્તિઃ કા?
શમો દમ ઉપરમસ્તિતિક્ષા શ્રદ્ધા સમાધાનં ચ ઇતિ |
 
[ભાવાર્થ]
શમ આદિ સાધન સંપત્તિ શું છે?
શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન જ ષટ્સંપત્તિઓ છે.
 
[વ્યાખ્યા]
શમ આદિ છ ગુણ આધ્યાત્મિક સાધકની એ સંપત્તિ છે, જેના બળ પર તે અનિત્ય જગતથી વિરક્ત થઈજે નિત્યતત્ત્વની તરફ અગ્રસર થાય છે. આના દ્વારા એનું વ્યક્તિત્વ સંગઠિત અને સશક્ત બને છે. એમાં તેના પર વિશ્વાસ જાગ્રત થાય છે.
 
शमः कः?
मनो निग्रहः ।
શમઃ કઃ?
મનો નિગ્રહઃ |
 
[ભાવાર્થ]
શમ શું છે?
મન ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવું જ શમ છે.
 
[વ્યાખ્યા]
મન વિષયોની પાછળ ભાગે છે એ વિષયોનું જ ચિંતન કરે છે. તે સવેગોથી વિક્ષુબ્ધ (અશાંત) પણ થાય છે. આવું મન સૂક્ષ્મ વસ્તુઓનું ચિંતન કરવામાં બાધક બને છે. તેથી એને વિચારપૂર્વક નિયંત્રણમાં લગાવવાનો પ્રયાસ કરવો જોઇએ. એમાં સફળતા મળવા પર મન આપણા કાબુમાં થઈ જાય છે. આપણે હવે એને જ્યા કામ લગાવવા માગીએ છીએ ત્યાં લગાવી શકીએ છીએ.
 
दमः कः?
चक्षुरादि बाह्येन्द्रिय निग्रहः ।
દમઃ કઃ?
ચક્ષુરાદિ બાહ્યેન્દ્રિય નિગ્રહઃ |
 
[ભાવાર્થ]
ઇન્દ્રિય બે પ્રકારની હોય છે - જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિયોથી વિષયોનું જ્ઞાન થાય છે અને કર્મેન્દ્રિયોથી વિષયોને પ્રાપ્ત કરવામાં આવે છે. જ્યારે ઇન્દ્રિયો સ્વતંત્ર થઈને વિષયોમાં વિચરણ નથી કરતી, તે મનના વશમાં રહે છે તો તેને દમ કહેવાય. જો પહેલા શમનો અભ્યાસ કરવામાં આવે તો ઇન્દ્રોયોનું દમ (સંયમ/દમન) કરવામાં સહજ જ સફળતા મળી જાય. તેનાથી વિપરીત જો ઇન્દ્રિય નિગ્રહમાં કંઇક સફળતા મળી જાય તો તે મનનાં નિગ્રહમાં સહાયક બને છે.
 
उपरमः कः?
स्वधर्मानुष्ठानमेव ।
ઉપરમઃ કઃ?
સ્વધર્માનુષ્ઠાનમેવ |
 
[ભાવાર્થ]
ઉપરામતા શું છે?
પોતાના ધર્મનું અનુષ્ઠાન જ ઉપરામતા છે.
 
[વ્યાખ્યા]
આપણા સૌનું કંઇક કર્તવ્ય હોય છે. આપણા પોતાના પ્રતિ, આપણા માતા-પિતા પ્રતિ, આપણા ગુરુ પ્રતિ, આપણા પરિવાર પ્રતિ અને સમાન પ્રતિ, વગેરે જે કર્તવ્યો છે તેનું પાલન કરવું એ જ ધર્મ છે. આપણા ધર્મનો દૃઢતાથી અનુષ્ઠાન કરવા પર મન અધર્મ, પાપ કે દુરાચારની તરફ નથી જતું. આ જ મનની ઉપરતિ છે.
 
મનુષ્યનો પરમ ધર્મ સત્યની શોધ કરવાનો છે. આ કાર્યમાં દૃઢતા પૂર્વક લાગી જવાથી મન અનિત્ય વસ્તુઓમાં સુખની શોધ નથી કરતું. આ પણ મનની ઉપરતિ છે. સામાન્ય રીતે ઉપરામ શબ્દનો પ્રયોગ વૈરાગ્યના અર્થમાં લેવામાં પણ આવે છે.
 
तितिक्षा का?
शीतोष्ण सुखदुःखादि सहिष्णुत्वम् ।
તિતિક્ષા કા?
શીતોષ્ણ સુખદુઃખાદિ સહિષ્ણુત્વમ્ |
 
[ભાવાર્થ]
તિતિક્ષા શું છે?
ગરમી-ઠંડી, સુખ-દુખ, વગેરે દ્વંદ્વ (વિસંગતતા) સહન કરવાનો સમભાવ જ તિતિક્ષા (સહનશીલતા, સમભાવશીલતા) છે.
 
[વ્યાખ્યા]
મનુષ્ય જીવનમાં અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓનું આવવું એ સ્વાભાવિક છે. એને રોકી નથી શકાતું. પોતાના સામર્થ્યથી પ્રતિકૂળ પરિસ્થિતિઓનું નિવારણ કરી અને જે કંઇક પણ અનિવાર્ય થઈ જાય છે (એટલે કે જેનું નિવારણ નથી) તેને ચિંતારહિત શાંત મનથી સહન કરવાનો અભ્યાસ હોવો જોઇએ. અભ્યાસથી આ ગુણ વધાવી શકાય છે. તત્ત્વ ચિંતન કરવામાં પણ આ ગુણ સહાયક બને છે.
 
श्रद्धा कीदृशी?
गुरूवेदान्त वाक्यादिषु विश्वासः श्रद्धा ।
શ્રદ્ધા કીદૃશી?
ગુરૂવેદાન્ત વાક્યાદિષુ વિશ્વાસઃ શ્રદ્ધા |
 
[ભાવાર્થ]
શ્રદ્ધા કેવી હોય છે?
ગુરૂ અને વેદાન્તના વાક્યોમાં વિશ્વાસ રાખવો એ શ્રદ્ધા છે.
 
[વ્યાખ્યા]
ઉપનિષદ વેદાન્ત ગ્રંથ છે. એના વચન સ્વતઃ પ્રમાણ છે. તે નિર્ભ્રાંત સત્ય (ભ્રમિત ન કરે એવા સત્ય) નું નિરૂપણ કરે છે. ગુરૂએ સત્યતાનો અનુભવ એમના વ્યાવહારિક જીવનમાં કર્યો છે. તેથી ગુરૂ શીષ્યની સામે એજ સત્યનું પ્રતિપાદન કરે છે. આ બન્ને વચનોને સત્ય સ્વીકાર કરવું એજ શ્રદ્ધા છે. આજ આધારે સાધક સ્વયં પણ એજ સત્યનું સાક્ષાત્કાર કરવા માટે પોતાનું જીવન અર્પિત કરી દે છે.
 
समाधानं किम्?
 चित्तैकाग्रता ।
સમાધાનં કિમ્?
ચિત્તૈકાગ્રતા |
 
[ભાવાર્થ]
સમાધાન શું છે?
ચિત્તની એકાગ્રતા જ સમાધાન છે.
 
[વ્યાખ્યા]
પોતાના પ્રિય વિષયમાં બધા લોકોનું ચિત્ત એકાગ્ર થઈને લાગી રહે છે. પરંતુ જ્યારે ચિત્તનો આ ગુણ ગુરૂ અને શાસ્ત્ર વચનને સમજવા અને અનુભવ કરવામાં કામ આવે છે તો તેને સમાધાન કહે છે. સમસ્ત સંશયોથી મુક્ત થઈને જ્યારે મન નિત્ય વસ્તુમાં સ્થિર થઈ જાય છે તો તે પણ સમાધાન છે.
 
======== * ========

મુમુક્ષત્વ

मुमुक्षत्वं किम्?
 मोक्षो मे भूयाद् इति इच्छा ।
મુમુક્ષત્વં કિમ્?
મોક્ષો મે ભૂયાદ્ ઇતિ ઇચ્છા |
 
[ભાવાર્થ]
મુમુક્ષત્વ શું છે?
મારે મોક્ષ પ્રાપ્ત હો - આ ઇચ્છનું નામ મુમુક્ષત્વ છે.
 
[વ્યાખ્યા]
જો કે બધા મનુષ્ય પોતાના કર્મના બંધનમાં બંધાયેલ છે, ન ઇચ્છતા પણ પોતાના કર્મનું ફળ વિવશ થઈને ભોગવવું જ પડે છે. એજ બંધનમાં બંધાઈને અનેક યોનિઓમાં ભટકવું અને શરીર ધારણ કરવું પડે છે. પરંતુ તે ન તો એ જાણે છે કે છૂટી શકાય છે અને ન તો તે છૂટવાની ઇચ્છા કરે છે. કોઈક જ વ્યક્તિ પોતાની કઠિન સમસ્યાથી અવગત થાય છે અને એનાથી મુક્તિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ પણ કરે છે. જેમ કોઈ વ્યક્તિ પોતાના માથાના લાંબા વાળમાં લાગેલી આગથી વ્યાકુળ થઈને સરોવરમાં કૂદવાની ઇચ્છા કરે છે તેવી જ રીતે જીવન-દુઃખોથી વ્યથિત થઈને મનુષ્ય જ્યારે તેનાથી મુક્ત થવાની ઇચ્છા કરે છે તો તેને મુમુક્ષત્વ કહે છે. એવા જ લોકો માટે વેદાન્તશાસ્ત્ર છે અને એવા જ લોકો એના અધ્યયનથી લાભાન્વિત થાય છે.
 
एतत् साधनचतुष्ट्यम् ।
ततस्तत्त्वविवेकस्याधिकारिणो भवन्ति ।
એતત્ સાધનચતુષ્ટ્યમ્ |
તતસ્તત્ત્વવિવેકસ્યાધિકારિણો ભવન્તિ |
 
[ભાવાર્થ]
આજ ચાર સાધન છે. આનાથી સમ્પન્ન પુરુષ તત્ત્વવિવેકના અધિકારી હોય છે.
 
[વ્યાખ્યા]
અહીં સાધન ચતુષ્ટ્યનું વર્ણન પૂર્ણ થયું. આ યોગ્યતાઓથી સમ્પન્ન વ્યક્તિ સત્સ્વરૂપ પરમાત્માને શોધવા અને મેળવવા માટે અધિકારી બને છે. જાતિ, સ્ત્રી-પુરુષ, ઉમર-આયુ, વગેરે એના માટે બાધક નથી બનતા. સંસારમાં ક્યાંય પણ રહેનાર કોઈ પણ વ્યક્તિ વિવેક આદિ ગુણોથી અધિકારી બની અને તત્ત્વજ્ઞાન મેળવી મુક્ત બની શકે છે.
 
======== * ========