મુમુક્ષત્વ

मुमुक्षत्वं किम्?
 मोक्षो मे भूयाद् इति इच्छा ।
મુમુક્ષત્વં કિમ્?
મોક્ષો મે ભૂયાદ્ ઇતિ ઇચ્છા |
 
[ભાવાર્થ]
મુમુક્ષત્વ શું છે?
મારે મોક્ષ પ્રાપ્ત હો - આ ઇચ્છનું નામ મુમુક્ષત્વ છે.
 
[વ્યાખ્યા]
જો કે બધા મનુષ્ય પોતાના કર્મના બંધનમાં બંધાયેલ છે, ન ઇચ્છતા પણ પોતાના કર્મનું ફળ વિવશ થઈને ભોગવવું જ પડે છે. એજ બંધનમાં બંધાઈને અનેક યોનિઓમાં ભટકવું અને શરીર ધારણ કરવું પડે છે. પરંતુ તે ન તો એ જાણે છે કે છૂટી શકાય છે અને ન તો તે છૂટવાની ઇચ્છા કરે છે. કોઈક જ વ્યક્તિ પોતાની કઠિન સમસ્યાથી અવગત થાય છે અને એનાથી મુક્તિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ પણ કરે છે. જેમ કોઈ વ્યક્તિ પોતાના માથાના લાંબા વાળમાં લાગેલી આગથી વ્યાકુળ થઈને સરોવરમાં કૂદવાની ઇચ્છા કરે છે તેવી જ રીતે જીવન-દુઃખોથી વ્યથિત થઈને મનુષ્ય જ્યારે તેનાથી મુક્ત થવાની ઇચ્છા કરે છે તો તેને મુમુક્ષત્વ કહે છે. એવા જ લોકો માટે વેદાન્તશાસ્ત્ર છે અને એવા જ લોકો એના અધ્યયનથી લાભાન્વિત થાય છે.
 
एतत् साधनचतुष्ट्यम् ।
ततस्तत्त्वविवेकस्याधिकारिणो भवन्ति ।
એતત્ સાધનચતુષ્ટ્યમ્ |
તતસ્તત્ત્વવિવેકસ્યાધિકારિણો ભવન્તિ |
 
[ભાવાર્થ]
આજ ચાર સાધન છે. આનાથી સમ્પન્ન પુરુષ તત્ત્વવિવેકના અધિકારી હોય છે.
 
[વ્યાખ્યા]
અહીં સાધન ચતુષ્ટ્યનું વર્ણન પૂર્ણ થયું. આ યોગ્યતાઓથી સમ્પન્ન વ્યક્તિ સત્સ્વરૂપ પરમાત્માને શોધવા અને મેળવવા માટે અધિકારી બને છે. જાતિ, સ્ત્રી-પુરુષ, ઉમર-આયુ, વગેરે એના માટે બાધક નથી બનતા. સંસારમાં ક્યાંય પણ રહેનાર કોઈ પણ વ્યક્તિ વિવેક આદિ ગુણોથી અધિકારી બની અને તત્ત્વજ્ઞાન મેળવી મુક્ત બની શકે છે.
 
======== * ========