દાનમાં ત્યાગનું મહત્વ છે, વસ્તુની કિંમતનું કે વસ્તુની સંખ્યાનું મહત્વ નથી. એવી ત્યાગભાવનાથી કોઈ સુપાત્રને એટલે કે જે વસ્તુનો જેની પાસે અભાવ છે તેને તે વસ્તુ આપવી અને એમાં કોઈ પ્રકારની અપેક્ષા રાખવી નહિ એ ઉત્તમ દાન છે. નિષ્કામભાવે કોઈ ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવું એ સાત્વિક દાન છે.