પ્રત્યેક ગૂઢ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો પાયો સાદું જીવન અને ઉદાત્ત વિચારસરણી છે. આ બંને મુદ્દાઓ એકી સાથે ધ્યાનમાં રહેવા જોઈએ. જો કોઈ મનુષ્ય માત્ર સાદગી બતાવવા ખાતર સાદું જીવન જીવે તો એ ખરેખર સાદું જીવન નથી. સાદું જીવન એ પૂર્ણતાનું સાધન છે અને તે ઉચ્ચ વિચારોને અનુમોદન આપતું જ હોવું જોઈએ. ત્યારે જ સાદું જીવન પ્રમાણભૂત ગણાય.