સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
નાસ્તિકને મન ઈશ્વર શૂન્ય છે; આસ્તિકને મન ઈશ્વર પૂર્ણવિરામ છે.
સ્વામી રામતીર્થ
  • ભક્તિ
    • આરતી
    • કાવ્ય-પદ્ય-પદ
    • ચાલીસા
    • પ્રાર્થના
    • ભજન
    • વ્રત કથા
    • સ્તોત્ર-સ્તુતિ
    • બાવની
    • થાળ
  • જ્ઞાન
    • કથા-પ્રવચન
    • જ્ઞાન-વિજ્ઞાન
    • તત્ત્વ દર્શન
    • બોધ-ઉપદેશ
    • વેદાન્ત
  • સંસ્કાર
    • જિજ્ઞાસા સમાધાન
    • ઉપનિષદ કથા
    • ચરિત્ર કથા
    • પર્વ-ઉત્સવ
    • પૌરાણીક કથા
    • પ્રેરક પ્રસંગો
    • બોધ કથા
    • મમ કર્તવ્યમ્
    • રીતિ-રીવાજ
  • સાહિત્ય
    • આધ્યાત્મીક
    • ઐતિહાસિક ઘટનાઓ
    • ગીત-સંગીત

ઇષ્ટ દેવી-દેવતા

અંબામાતા અર્જુન આદિ શંકરાચાર્ય કૃષ્ણ અવતાર ગણેશજી ગૌમાતા જલારામબાપા પાર્વતી માતા રામ અવતાર લક્ષ્મીમાતા શીતળાદેવી સદાશિવ સાંઇબાબા સૂર્યદેવ હનુમાનજી
more tags

વ્યક્તિત્વ

અમીચંદ ભક્ત નરસિંહ મહેતા સંત કબીર સંત તુલસીદાસજી સ્વામી આત્માનંદ સ્વામી ચિદાનન્દ સ્વામી જ્યોતિર્મયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી પરમાનંદ સ્વામી રામરાજ્યમ્ સ્વામી રામસુખદાસજી સ્વામી વિવેકાનંદ સ્વામી શાશ્વતાનંદ સ્વામી શિવાનન્દ હર્ષા જોશી
more tags

નવિનતમ રચનાઓ

  • અચ્છાઈ નો મહાપ્રસાદ - સ્વામી રામરાજ્યમ્
  • ઈશ્વરનું અસ્તિત્વ - સ્વામિની અમિતાનંદ
  • બાદશાહ અકબરના પાંચ સવાલ
  • સાદું જીવન અને ઉચ્ચ વિચારો - સ્વામી જ્યોતિર્મયાનંદ
  • શ્રી શિવ માનસ પૂજા

અન્યાન્ય રચનાઓ...

  • શ્રી શિવ માનસ પૂજા
  • શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો
  • બ્રહ્મ શું છે? - સ્વામી શિવાનન્દ
  • શ્રી અંબાજી માતાની આરતી
  • પ્રભુની પ્રાપ્તિ સાધનાથી નહીં, કેવળ માન્યતાથી

સંગીત સાથે

  • भगवद्‍ गीता आरती - संगीत साथ
  • આનંદ મંગલ કરું આરતી
  • શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન - સંગીત સાથે
  • શ્રી રુદ્રાષ્ટકમ - સંગીત સાથે
  • શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર - સંગીત સાથે

અચ્છાઈ નો મહાપ્રસાદ - સ્વામી રામરાજ્યમ્

  • બોધ કથા
  • સ્વામી રામરાજ્યમ્
  • 195 reads
  • PrintPrint
  • E-MailE-Mail
  • Permalink
આખી રાત ચિંતાના કારણે હું ઊંઘી નહીં શક્યો હતો; હોટેલના રૂમમાં આમ-તેમ આંટા મારતો રહ્યો. ગઈકાલે રાત્રે ટ્રેનમાંથી ઊતરી હોટેલમાં રોકાયો હતો. રૂમમાં પહોચીને બેગ ખોલવાની આવશ્યકતા પડી, ત્યારે ખબર પડી કે બેગ ત્યાં છે જ નહીં. ટૅક્સી, જેમાંથી સામાન ઉતાર્યો હતો, એ પણ જઈ ચૂકી હતી. હવે હું શું કરી શકતે! બેગ પાછી મળવાની કોઈ આશા ન હતી.
 
સવારની પહોરમાં રૂમના ફોનની ઘંટડી વાગી ઊઠી. ફોન પર સ્વાગત-કક્ષથી મારા માટે સંદેશો હતો કે કોઈ વ્યક્તિ મને મળવા માગે છે. હું નીચે ગયો. રાતે જે ટૅક્સીમાં હું આવ્યો હતો, તેનો ચાલક ત્યાં નીચે સ્વાગત-કક્ષમાં ઊભો હતો. એના હાથમાં મારી બેગ હતી. તે મને જોઈને ઉત્સુકતાથી મારી તરફ આવ્યો અને મારી બેગ મને પકડાવી દીધી. એના ચહેરા ઉપર એવો ભાવ હતો કે જાણે એણે કોઈ અપરાધ કર્યો હોય. હાથ જોડીને એ બોલ્યો - "કાલે રાત્રે તમારો સામાન ટૅક્સીમાંથી ઉતારતી વખતે મારી નજર આ બેગ પર પડી જ નહીં. સવારે જ્યારે હું ટૅક્સીની સફાઈ કરી રહ્યો હતો, તો મને આ બેગ મળી. તમે ન જાણે મારા વિશે શું વિચારી રહ્યા હશો. મને માફ કરશો." આમ કહીને એણે મારા પગ પકડવા માટે નમ્યો.
 
શીઘ્રતાથી મેં એના નમેલા શરીરને ઉપર ઉઠાવ્યું. એની આંખોમાં આંખ મેળવીને નમ્રતાથી મેં કહ્યું - "ક્ષમાની વાત તો પછી, પહેલા મને એ કહો કે તમે મનુષ્ય છો કે દેવદૂત? ક્ષમા તો હું માગું છું, કારણ કે તમારા વિશે હું કશું ઊંધું જ વિચારી બેઠો."
 
થોડા સમય સુધી કશું બોલ્યા વગર તે ત્યાં જ ઊભો રહ્યો. મારી ઇચ્છા થઈ કે હું એને કંઈક આપુ. પછી મને થયું કે એના ભલાઈની કિંમત ચુકાવવા માટે મારી પાસે કઈ પણ નથી અને એની તુલનામાં હું ખૂબ ગરીબ છું. અને એટલામાં જ તે ત્યાંથી ચાલ્યો ગયો. એના ચહેરા પર અંકિત અપરાધ-બોધ અને વિનમ્રતાના ભાવ ના પાસાઓએ મને એવી રીતે જકડી લીધા હતા કે હું બે-ત્રણ પળ સુધી સ્થિર, નિશ્ચલ ઊભો રહી એના જવા પછી પણ એ દિશામાં જોતો રહ્યો.
 
આજે પણ એ ભાલા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી અચ્છાઈની સ્મૃતિ એટલી સજીવ છે કે મારી બેગ પકડતી વેળાએ એ મારી આંખો સામે આવી જાય છે.
 
મિત્રો, એક પણ સારી વાત, એક પણ સારી ઘટનાના સૂક્ષ્મ તરંગો દૂર-દૂર સુધી ફેલાય અચ્છાઈનો મહાપ્રસાદ વહેંચે છે, વહેંચતા રહે છે. આ તરંગોના કારણે બીજાની અંદર છૂપાયેલી અચ્છાઈ ઊભરીને બહાર આવવા માંડે છે. ભલા બનીને પોતાની અચ્છાઈનો મહાપ્રસાદ તમે પણ વહેંચવા માટે શું તૈયાર છો? અગર હા, તો ભલા બનવાનું આ સૂત્ર યાદ રાખજો - "બીજાનું અહિત ન વિચારવું અને ન કરવું તથા બીજાની બુરાઈ (નિંદા) ન કરવી, ન સાંભળવી." આ વાત નહીં ભૂલશો કે તમારી અચ્છાઈ અગણિત લોકોને સારા/ભલા બનાવી શકે છે.
 
- સ્વામી રામરાજ્યમ્
દિવ્ય જીવન સંઘ
 
ખાસ નોંધ - આ ઘટના સત્ય છે કે કાલ્પનિક છે તેની જાણ નથી. પરંતુ એક વાત સત્ય છે કે મહાપુરુષો આપણને બોધ આપવા માટે કલ્પનાના મહાસાગરમાંથી એવા એવા મોતીઓ કાઠી લાવે છે કે જે આપણને સમૃદ્ધ બનાવી દે છે. જેથી આ ઘટનાની સત્યતા કે કાલ્પનિકતાનો વિચાર ન કરતા એના બોધને ગ્રહણ કરીએ, એમાં જ આપણી અચ્છાઈ છે.

નોંધ - અમુક કારણવશાત્ રચનાઓ પર ટિપ્પણી (Comments) ની સુવિધા બંધ કરવામાં આવી છે. આપની ટિપ્પણીઓ તેમજ અભિપ્રાયો માટે આપ અભિપ્રાય પૃષ્ઠનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પ્રકારની અગવડ બદલ માફી.

© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.