સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.
દયાનંદ સરસ્વતી
  • ભક્તિ
    • આરતી
    • કાવ્ય-પદ્ય-પદ
    • ચાલીસા
    • પ્રાર્થના
    • ભજન
    • વ્રત કથા
    • સ્તોત્ર-સ્તુતિ
    • બાવની
    • થાળ
  • જ્ઞાન
    • કથા-પ્રવચન
    • જ્ઞાન-વિજ્ઞાન
    • તત્ત્વ દર્શન
    • બોધ-ઉપદેશ
    • વેદાન્ત
  • સંસ્કાર
    • જિજ્ઞાસા સમાધાન
    • ઉપનિષદ કથા
    • ચરિત્ર કથા
    • પર્વ-ઉત્સવ
    • પૌરાણીક કથા
    • પ્રેરક પ્રસંગો
    • બોધ કથા
    • મમ કર્તવ્યમ્
    • રીતિ-રીવાજ
  • સાહિત્ય
    • આધ્યાત્મીક
    • ઐતિહાસિક ઘટનાઓ
    • ગીત-સંગીત

ઇષ્ટ દેવી-દેવતા

અંબામાતા અર્જુન આદિ શંકરાચાર્ય કૃષ્ણ અવતાર ગણેશજી ગૌમાતા જલારામબાપા પાર્વતી માતા રામ અવતાર લક્ષ્મીમાતા શીતળાદેવી સદાશિવ સાંઇબાબા સૂર્યદેવ હનુમાનજી
more tags

વ્યક્તિત્વ

અમીચંદ ભક્ત નરસિંહ મહેતા સંત કબીર સંત તુલસીદાસજી સ્વામી આત્માનંદ સ્વામી ચિદાનન્દ સ્વામી જ્યોતિર્મયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી પરમાનંદ સ્વામી રામરાજ્યમ્ સ્વામી રામસુખદાસજી સ્વામી વિવેકાનંદ સ્વામી શાશ્વતાનંદ સ્વામી શિવાનન્દ હર્ષા જોશી
more tags

નવિનતમ રચનાઓ

  • અચ્છાઈ નો મહાપ્રસાદ - સ્વામી રામરાજ્યમ્
  • ઈશ્વરનું અસ્તિત્વ - સ્વામિની અમિતાનંદ
  • બાદશાહ અકબરના પાંચ સવાલ
  • સાદું જીવન અને ઉચ્ચ વિચારો - સ્વામી જ્યોતિર્મયાનંદ
  • શ્રી શિવ માનસ પૂજા

અન્યાન્ય રચનાઓ...

  • તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું
  • શું પ્રાર્થનામાં શક્તિ છે?
  • आना पवन कुमार, हमारे ईस मंदिर में
  • પહેલા મનને નિર્મળ કરો
  • અંતરમાં અભિમાન - ગંગાસતી

સંગીત સાથે

  • भगवद्‍ गीता आरती - संगीत साथ
  • આનંદ મંગલ કરું આરતી
  • શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન - સંગીત સાથે
  • શ્રી રુદ્રાષ્ટકમ - સંગીત સાથે
  • શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર - સંગીત સાથે

હું માનવ છું ને? - સ્વામી રામરાજ્યમ્

  • બોધ કથા
  • સ્વામી રામરાજ્યમ્
  • 300 reads
  • ""
  • PrintPrint
  • Permalink
  • E-MailE-Mail
મગફળીના ભાવ નિકટ ભવિષ્યમાં વધવાની આશંકા હતી. વ્યાપારીઓ પોતાના ગોદામ મગફળીથી ભરવા લાગ્યા.
 
એક વ્યાપારીએ ઘણા વ્યાપારીઓ પાસેથી ધન ઉધાર લઈને વિપુલ પ્રમાણમાં મગફળી ખરીદી ગોદામો ભરી દીધા. ઉધાર લઈને આમ વ્યાપાર કરવાની રીત તેના નાના ભાઈને પસંદ ન હતી, છતાં મોટા ભાઈના માન ખાતર તેણે કશું કહ્યું નહીં.
 
થોડાક દિવસો બાદ મોટા ભાઈનું અનાયાસ મૃત્યુ થઈ ગયું. એમ કહેવાય છે ને કે "મુસીબત એકલી નથી આવતી, તેની સાથે અન્ય મુસીબતોને પણ લાવે છે." મોટા ભાઈના મૃત્યુ બાદ મગફળીના ગોદામમાં પણ આગ લાગી ગઈ અને બધી મગફળી બળીને રાખ થઈ ગઈ. નાના ભાઈ ઉપર બધી ઉધારીનો બોજ આવી પડ્યો. ઉધાર આપનાર વ્યાપારીઓ પોત-પોતાના નાણા ઉઘરાવવા આવવા લાગ્યા. હવે નાનો ભાઈ કરે શું !!! તે ઉધાર ચુકાવવા માગતો હતો પરંતુ તે ચુકવે કઈ રીતે, તેની પાસે તો કશું નહીં હતું.
 
એક શેઠ હતા. તેમણે પણ મોટા ભાઈને મગફળી ખરીદવા માટે ખૂબ મોટી રકમ ઉધાર આપી હતી. તેઓ એક દિવસ નાના ભાઈ પાસે આવ્યા. નાના ભાઈએ રડતા-રડતા કહ્યું કે "શેઠજી, હું તમારા બધા પૈસા ચૂકતે કરી દઈશ, પરંતુ હમણાં હું મજબૂર છું." શેઠજીએ કહ્યું "તું એ કાગળ લઈને આવ, જેના પર મારા દ્વારા આપવામાં આવેલ રકમની નોંધ કરી છે." નાનો ભાઈ એ કાગળ લઈને આવ્યો.
 
શેઠજીએ આ કાગળને ધ્યાનપૂર્વક વાંચ્યું, પછી એમણે નાના ભાઈને કહ્યું "હું એ રકમ તારા મોટા ભાઈને આપી હતી, બરાબર?"
 
થોડી થંભ્યા પછી બોલ્યા "રકમ પરત કરવાનો ઇકરાર તારા મોટા ભાઈએ કર્યો હતો. તે જીવિત હતે તો હું મારી રકમ એની પાસેથી લેતે. ભાઈના જવા સાથે આ ઇકરારનામું પણ સમાપ્ત થઈ ગયું" આમ કહીને તેમણે એ કાગળ ફાડી નાખ્યું અને શેઠ ચાલતા થયા. આ જોઈને નાનો ભાઈ દંગ રહી ગયો.
 
મિત્રો, ધન જ સર્વસ્વ નથી. એનાથી પણ અધિક મૂલ્યવાન હોય છે માનવતા. માનવતાનું એક લક્ષણ છે - પોતાના અધિકારોને ભુલી અને પોતાના કર્તવ્યને યાદ રાખવું. શેઠને પોતાનું ધન પરત લેવાનો અધિકાર હતો, પણ તેમના એ અધિકારને ભુલી નાના ભાઈની મજબૂરીને ધ્યાનમાં રાખી તેમણે તેમના કર્તવ્યનું પાલન કર્યું. માનવ-શરીર મળવાથી કોઈ માનવ નથી બની જતું. જેમાં માનવતા હોય છે, કેવળ એ જ માનવ કહેવાય છે. તો મિત્રો, તમો પોતાને જ વારંવાર પુછો કે "હું માનવ છું ને?"
 
- સ્વામી રામરાજ્યમ્
દિવ્ય જીવન સંઘ
© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.