આપણા દેશની સંસ્કૃતિ જીવનમૂલ્યો પર આધારિત સંસ્કૃતિ છે. આપણા દેશનો ઇતિહાસ જીવનમૂલ્યોની મહિમા વધારનારો ઇતિહાસ છે. પરંતુ એ સંસ્કૃતિને આપણે ભૂલી રહ્યા છીએ અને સુખ, શાંતિને ગુમાવી રહ્યા છીએ. સુખ, શાંતિ તથા, સમાજની ઉન્નતિના માટે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવું એ આપણું પરમ કર્તવ્ય છે.
- સ્વામી વિવેકાનંદ

કેવળ ભગવાનનું જ ચિંતન

આપણા બધા માટે મનન કરવા લાયક (આવશ્યક) તત્ત્વ આ છે કે સમય ઉડતો જઈ રહ્યો છે. દિવસ અઠવાડિયામાં બદલાઈ રહ્યા છે, અઠવાડિયા મહિનામાં, મહિના વર્ષોમાં. એક-એક દિવસ કરીને આપણી જીવન અવધિ ઘટતી જઈ રહી છે; વિભિન્ન વિકર્ષણ આપણા મનને લક્ષ્યથી દૂર લઈ જાય છે. આપણે કઈ રીતે આ અપેક્ષા રાખીએ કે આપણું જીવન ઈશ્વર સાક્ષાત્કારથી અભિષિક્ત (અધિકારવાળું) થાય? પ્રબોધનથી, મોક્ષથી, આનંદથી, શાંતિથી અને પરિપૂર્ણતાથી અલંકૃત થાય? કઈ રીતે આ આશા રાખી શકીએ???
 
આ કેવળ ત્યારે જ સંભવ છે જ્યારે વ્યક્તિ નિરંતર ભગવાનનું, અને કેવળ ભગવાનનું જ ચિંતન કરે, જ્યારે વ્યક્તિ ભગવાન સિવાય અન્ય બધા વિચારોને છોડી કેવળ ભગવાનનું જ ચિંતન કરે. એવા વ્યક્તિ માટે આપણે લગભગ કહી શકીએ છીએ કે જો ભગવાનનો અનુગ્રહ પણ છે તો, ઈશ્વરાનુભૂતિની પ્રાપ્તિ આ જન્મમાં, પણ અત્યારે જ અને અહીં જ નિશ્ચિત છે.
 
કારણ કે, જે વ્યક્તિ તેનું મન, પોતાની અંતર દૃષ્ટિ નિરંતર અબાધ રૂપથી ભગવાન અને કેવળ ભગવાન પર દૃઢતાપૂર્વક સ્થિર રાખે છે, જે અન્ય કોઈ પણ વિચારને પ્રવેશ ન થવા દે, જે પૂર્ણત ઈશ્વરમાં સ્થિત છે, શત-પ્રતિ-શત, કોઈ પણ અન્ય વિચારને હસ્તક્ષેપ ન કરવા દે, ત્યારે એવાં વ્યક્તિનું અંતઃકરણ સ્વયં ભગવાન રૂપ બની જાય છે. કારણ કે એવાં વ્યક્તિમાં ભગવાન નિવાસ કરે છે, તેઓ એના અંતર્મનને, એની ચેતનાને પૂર્ણતાથી ભરી દે છે. ત્યારે તે વ્યક્તિ ઈશ્વરીય ચેતનાની સ્થિતિમાં પહોંચી જાય છે અને તે માનવીય ચેતનામાં નથી રહેતો.
 
એવી સ્થિતિ માટે આપણે પ્રાર્થના કરવી જોઇએ. આના માટે આપણે અથાક પ્રયત્ન કરવો જોઇએ. વિનમ્રતા સહિત, વગર અહંકારથી, આ જાણવું જોઇએ કે આ પ્રયત્ન પણ એમના દ્વારા પ્રેરિત છે, એમની જ કૃપાની શક્તિથી થઈ રહ્યું છે, અહીં મારું કઈ પણ નથી, કેવળ એક ભગવાન જ સર્વસ્વ છે. અને આપણે એ સર્વશક્તિમાનથી, એ સર્વાતીત સત્તાને પ્રાર્થના કરીએ છીએ, આપણે પરમ ગુરુદેવને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આશીર્વાદ અને વરદાન કૃપાપૂર્વક આપણને બધાને પ્રદાન કરે! એવું જ બને!
 
- સ્વામી શ્રી ચિદાનન્દજી મહારાજ
 
======== * ========

આપનો અભિપ્રાય જણાવો

આપનું ઇ-મેઇલ કોઈને દેખાડવામાં આવશે નહીં.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <small> <sup> <sub> <cite> <blockquote> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd> <h2> <h3> <h4> <img> <br> <p> <div> <span> <b> <i>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options

GujaratiEnglish
Press F12 to switch language

શું આ રચનામાં કોઇ ત્રુટિ છે?

જો આપને 'સનાતન જાગૃતિ' માં પ્રકાશિત રચનાઓમાં કોઇ ત્રુટિ જેવી કે વ્યાકરણ કે જોડણીની ભૂલો જોવા મળે તો કૃપયા એ ત્રુટિને સંપાદકને જરૂરથી જણાવશો જેથી એ ત્રુટિઓને સુધારી શકાય. સંપાદકને સંપર્ક કરવા માટે editor @ sanatanjagruti.org પર ઇ-મેઇલ કરો અથવા http://www.sanatanjagruti.org/feedback પૃષ્ઠ દ્વારા પણ જાણ કરી શકો છો.

ધન્યવાદ.

- સંપાદક, સનાતન જાગૃતિ