સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે, એવી સમજણ જેનાં હ્રદયમાં છે તેના કર્મમાં સુગંધ હોય છે. એને બીજા કોઈ તરફથી કદરની અપેક્ષા હોતી નથી.
પાંડુરંગ આઠવલે
  • ભક્તિ
    • આરતી
    • કાવ્ય-પદ્ય-પદ
    • ચાલીસા
    • પ્રાર્થના
    • ભજન
    • વ્રત કથા
    • સ્તોત્ર-સ્તુતિ
    • બાવની
    • થાળ
  • જ્ઞાન
    • કથા-પ્રવચન
    • જ્ઞાન-વિજ્ઞાન
    • તત્ત્વ દર્શન
    • બોધ-ઉપદેશ
    • વેદાન્ત
  • સંસ્કાર
    • જિજ્ઞાસા સમાધાન
    • ઉપનિષદ કથા
    • ચરિત્ર કથા
    • પર્વ-ઉત્સવ
    • પૌરાણીક કથા
    • પ્રેરક પ્રસંગો
    • બોધ કથા
    • મમ કર્તવ્યમ્
    • રીતિ-રીવાજ
  • સાહિત્ય
    • આધ્યાત્મીક
    • ઐતિહાસિક ઘટનાઓ
    • ગીત-સંગીત

ઇષ્ટ દેવી-દેવતા

અંબામાતા અર્જુન આદિ શંકરાચાર્ય કૃષ્ણ અવતાર ગણેશજી ગૌમાતા જલારામબાપા પાર્વતી માતા રામ અવતાર લક્ષ્મીમાતા શીતળાદેવી સદાશિવ સાંઇબાબા સૂર્યદેવ હનુમાનજી
more tags

વ્યક્તિત્વ

અમીચંદ ભક્ત નરસિંહ મહેતા સંત કબીર સંત તુલસીદાસજી સ્વામી આત્માનંદ સ્વામી ચિદાનન્દ સ્વામી જ્યોતિર્મયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી પરમાનંદ સ્વામી રામરાજ્યમ્ સ્વામી રામસુખદાસજી સ્વામી વિવેકાનંદ સ્વામી શાશ્વતાનંદ સ્વામી શિવાનન્દ હર્ષા જોશી
more tags

નવિનતમ રચનાઓ

  • અચ્છાઈ નો મહાપ્રસાદ - સ્વામી રામરાજ્યમ્
  • ઈશ્વરનું અસ્તિત્વ - સ્વામિની અમિતાનંદ
  • બાદશાહ અકબરના પાંચ સવાલ
  • સાદું જીવન અને ઉચ્ચ વિચારો - સ્વામી જ્યોતિર્મયાનંદ
  • શ્રી શિવ માનસ પૂજા

અન્યાન્ય રચનાઓ...

  • ઓમ્ જય શિવ ઓંકારા
  • દીપક શા માટે પ્રગટાવવામાં આવે?
  • જન્માષ્ટમી - શ્રાવણ વદ ૮
  • બિલ્વ પત્રની ઉત્પત્તિ કથા
  • સ્વામી વિવેકાનન્દ શિકાગોમાં

સંગીત સાથે

  • भगवद्‍ गीता आरती - संगीत साथ
  • આનંદ મંગલ કરું આરતી
  • શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન - સંગીત સાથે
  • શ્રી રુદ્રાષ્ટકમ - સંગીત સાથે
  • શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર - સંગીત સાથે

અધ્યાત્મિકતાની પૂર્ણતા - સ્વામી ચિદાનન્દજી

  • બોધ-ઉપદેશ
  • સ્વામી ચિદાનન્દ
  • 260 reads
  • ""
  • PrintPrint
  • Permalink
  • E-MailE-Mail
આપણી અધૂરી સાધનામાં પૂર્ણતા લાવવા માટે આપણે વેદાન્તની સાથે ધ્યાન, પૂજા અને યોગ દ્વારા માનવ સમાજમાં ખુદને નિરંતર એક આદર્શ માનવ બનવાના પ્રયાસમાં લાગી રહેવું જોઈએ. આપણે આ વ્યવહારિક તથ્યની અપેક્ષા નહીં કરી શકીએ કે આપણે એક મનુષ્ય, એક સાધક, એક ભક્ત, એક એવા અધ્યાત્મિક સાધક છીએ જે મોક્ષની અભિલાષા રાખીયે છે તથા માનવ-ચેતનાથી ઉપર ઉઠી દૈવી-ચેતનામાં રૂપાંતરિત થવા માટે સંઘર્ષ કરીએ છીએ.
 
આ તથ્યને આપણે નકારી નહીં શકીએ કે આપણે એક સામાજીક પ્રાણી છીએ. આથી આ સત્યને યથાસંભવ પૂર્ણતાની નજીક લાવીએ. ઈશ્વરની રચનાનું એક અંગ હોવાને કારણે બધાની સાથે આપણે આપણા સંબંધ એક સમાન રાખવા જોઈએ. સાધના કરી આપણે આપણી પ્રકૃતિને પરિષ્કૃત કરવાની આવશ્યકતા છે જેનાથી આપણે એક સભ્ય સુસંસ્કૃત નાગરિક બની શકીએ. આપણે અહંનો ત્યાગ કરી એક એવા સાચા માનવ બની શકીએ, જેમાં બુદ્ધિમાની, મિત્રતા અને દયાળુતા હોય. આપણામાં એવું કરવાની શક્તિ છે. આપણી આધ્યાત્મિકતા ત્યારે જ પૂર્ણ થશે.
 
"મારા કર્મોનું શું થશે સ્વામીજી! શું મને કર્મ કરવાની સ્વતંત્રતા નથી?" આપણને કર્મ કરવાની પૂરી સ્વતંત્રતા છે. આપણે એક સ્વતંત્ર કર્તા છીએ. આપણા બધા અનુભવોને આપણા ભાવી કર્મ સંચાલિત કરશે. આ જીવન અવધિમાં થવાવાળા આપણા બધા અનુભવો સુખ-દુઃખ, હાનિ-લાભ, હર્ષ-વિષાદ, સફળતા-અસફળતા, માન-અપમાન, તૃપ્તિ-અસંતોષ એમ બધાને સંચાલિત કરશે. કેવળ કર્મ દ્વારા પ્રશાસિત અનુભવોમાં આપણે પસાર થવું પડશે.
 
જો આપણે અંદરથી આપણું સંચાલન ઈશ્વરની ભક્તિ, વિશ્વાસ અને આધ્યાત્મિક આકાંક્ષાઓ દ્વારા પર્યાપ્ત સાધના-શક્તિ અને સહનશીલતાની સાથે કરીએ, તો આ અનુભવ પણ આપણને પ્રભાવિત કર્યા વગર આપણને છોડી ચાલ્યા જશે. આ નવી વ્યવસ્થામાં સ્થાપિત થવાને કારણે આ અનુભવો આપણને અપ્રભાવિત છોડી ચાલ્યા જશે. આપણે આપણા મનમાં સંકલ્પ કરવું - "જીવનમાં કશું પણ થવા દો, દરેક પરિસ્થિતિમાં મારે મારા મનની શાંતિ ભંગ નથી કરવી. સુખ-દુઃખ મારા માટે એક સમાન છે, હાનિ-લાભ મારા માટે એક સમાન છે, માન-અપમાન મારા માટે એક સમાન છે. હું આને મારા મનની શાંતિ ભંગ કરવાની અનુમતિ નહીં આપી શકું. હું આ બધાથી શ્રેષ્ઠ છું, આ વિરોધી દ્વંદ્વોથી શ્રેષ્ઠ છું."
 
આપણે આપણા મનની સંરચના એવી રીતે કરવી જોઈએ કે આપણે કર્મો પર હસી શકીએ. "કર્મોની જેવી પણ પરિસ્થિતિ આવે, કશું પણ અવશ્યંભાવી (જે નિશ્ચિત હોય તેવું) થઈ પડે, બસ મારે સહેવું છે." ત્યારે આ આપણા માટે મહત્વહીન બની જશે. કર્મ દ્વારા પ્રશાસિત અનુભવોમાંથી પસાર થવું પડે છે. આ ધરતી પર રહી ઈશ્વરે આપણને કર્મ કરવાની જે સ્વતંત્રતા પ્રદાન કરી છે, તેને કર્મ અલ્પ નથી કરી શકતા. આ ભૂલોક પુરુષાર્થનું સ્થાન છે. આ કર્મભૂમિ છે, પુરુષાર્થની ભૂમિ છે. કર્મ કરો, કર્મ કરતાં રહો.
 
શ્રી કૃષ્ણ ગીતા-ગાન કરતી સમયે અર્જુનને સતત આ જ કહે છે "કર્મ કરો, કર્મ કરો" અને શ્રી કૃષ્ણ કોઈ સામાન્ય ગુરુ નથી. તેઓ જાણતા હતાં કે તેઓ શું કરી રહીયા છે. એમણે કહ્યું - "જીવંત વર્તમાનમાં કર્મ કરો, હ્રદય ભીતર, ઈશ્વર ઉપર" આ પ્રકારે આપણે મનથી, વાણીથી, કર્મથી કર્મ કરવા માટે સ્વતંત્ર છીએ. આપણે આપણી આત્માના કર્ણધાર છીએ. આપણે આપણા ભાગ્યવિધાતા છીએ. આપણે આપણા કર્યક્ષેત્રના સ્વામી છીએ. કર્મની વિપરીત અવધારના નહીં કરવી. આપણે પોતાને પૂછીએ - "હું શું કરી શકું છું?" આપણે બધુ કરી શકીએ છીએ. સ્પષ્ટ અવબોધ કરીએ. મન બનાવીયે અને જીવન એવું બનાવીયે કે એક સૌંદર્ય ઝળકી ઉઠે.
 
- પરમ પાવન શ્રી સ્વામી ચિદાનન્દજી મહારાજ
દિવ્ય જીવન સંઘ
© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.