સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
ઈશ્વરનું સ્મરણ સર્વ રોગોની એક માત્ર મહાન દવા છે.
સ્વામી દયાનંદ
  • ભક્તિ
    • આરતી
    • કાવ્ય-પદ્ય-પદ
    • ચાલીસા
    • પ્રાર્થના
    • ભજન
    • વ્રત કથા
    • સ્તોત્ર-સ્તુતિ
    • બાવની
    • થાળ
  • જ્ઞાન
    • કથા-પ્રવચન
    • જ્ઞાન-વિજ્ઞાન
    • તત્ત્વ દર્શન
    • બોધ-ઉપદેશ
    • વેદાન્ત
  • સંસ્કાર
    • જિજ્ઞાસા સમાધાન
    • ઉપનિષદ કથા
    • ચરિત્ર કથા
    • પર્વ-ઉત્સવ
    • પૌરાણીક કથા
    • પ્રેરક પ્રસંગો
    • બોધ કથા
    • મમ કર્તવ્યમ્
    • રીતિ-રીવાજ
  • સાહિત્ય
    • આધ્યાત્મીક
    • ઐતિહાસિક ઘટનાઓ
    • ગીત-સંગીત

ઇષ્ટ દેવી-દેવતા

અંબામાતા અર્જુન આદિ શંકરાચાર્ય કૃષ્ણ અવતાર ગણેશજી ગૌમાતા જલારામબાપા પાર્વતી માતા રામ અવતાર લક્ષ્મીમાતા શીતળાદેવી સદાશિવ સાંઇબાબા સૂર્યદેવ હનુમાનજી
more tags

વ્યક્તિત્વ

અમીચંદ ભક્ત નરસિંહ મહેતા સંત કબીર સંત તુલસીદાસજી સ્વામી આત્માનંદ સ્વામી ચિદાનન્દ સ્વામી જ્યોતિર્મયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી પરમાનંદ સ્વામી રામરાજ્યમ્ સ્વામી રામસુખદાસજી સ્વામી વિવેકાનંદ સ્વામી શાશ્વતાનંદ સ્વામી શિવાનન્દ હર્ષા જોશી
more tags

નવિનતમ રચનાઓ

  • અચ્છાઈ નો મહાપ્રસાદ - સ્વામી રામરાજ્યમ્
  • ઈશ્વરનું અસ્તિત્વ - સ્વામિની અમિતાનંદ
  • બાદશાહ અકબરના પાંચ સવાલ
  • સાદું જીવન અને ઉચ્ચ વિચારો - સ્વામી જ્યોતિર્મયાનંદ
  • શ્રી શિવ માનસ પૂજા

અન્યાન્ય રચનાઓ...

  • હોલિકોત્સવ કે આનંદોત્સવ !
  • શ્રી અર્ધનારીશ્વર સ્તોત્ર
  • તુલસી
  • કીધી મુને ઘેલી - મીઠા ભગત
  • વ્રત વિધિ-વિધાન

સંગીત સાથે

  • भगवद्‍ गीता आरती - संगीत साथ
  • આનંદ મંગલ કરું આરતી
  • શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન - સંગીત સાથે
  • શ્રી રુદ્રાષ્ટકમ - સંગીત સાથે
  • શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર - સંગીત સાથે

શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ

  • સ્તોત્ર-સ્તુતિ
  • લક્ષ્મીમાતા
  • 314 reads
  • PrintPrint
  • E-MailE-Mail
  • Permalink
નોંધ - પહેલા આઠ શ્લોક માતાની સ્તુતિ છે તથા શ્લોક ૯, ૧૦ તથા ૧૧ માં આ સ્તુતિની ફળશ્રૃતિ સમજાવવામાં આવી છે. આ સ્તુતિ દેવરાજ ઇન્દ્ર દ્વારા ગાવામાં આવી છે. 
 
     नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते।
     शङ्खचक्रगदाहस्ते महालक्ष्मि नमोस्तु ते ॥१॥
ઇન્દ્ર બોલ્યા - શ્રીપીઠ પર સ્થિત અને દેવતા દ્વારા પૂજિત, હે મહામાયે તમને નમસ્કાર. હાથમાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર હે મહાલક્ષમી, તમને નમસ્કાર.
 
     नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करि।
     सर्वपापहरे देवि महालक्ष्मि नमोस्तु ते ॥२॥
ગરુડ પર આરૂઢ થઈ કોલાસુરને ભયભીત કરનાર અને સમસ્ત પાપોને હરનાર હે ભગવતી મહાલક્ષ્મી, તમને નમસ્કાર.
 
     सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि।
     सर्वदु:खहरे देवि महालक्ष्मि नमोस्तु ते ॥३॥
બધુ જાણનાર, સર્વ વરદાન આપનાર, સમસ્ત દુષ્ટોને ભય આપનાર અને સર્વ દુઃખોને દૂર કરનાર, હે દેવી મહાલક્ષ્મી, તમને નમસ્કાર.
 
     सिद्धिबुद्धिप्रदे देवि भुक्ति मुक्ति प्रदायिनि।
     मन्त्रपूते सदा देवि महालक्ष्मि नमोस्तु ते ॥४॥
સિદ્ધિ, બુદ્ધિ, ભોગ અને મોક્ષ પ્રદાન કરનાર હે મંત્રપૂત (મંત્રથી શુદ્ધ કરેલ) ભગવતી મહાલક્ષ્મી, તમને સદા નમસ્કાર.
 
     आद्यन्तरहिते देवि आद्यशक्ति महेश्वरि।
     योगजे योगसम्भूते महालक्ष्मि नमोस्तु ते ॥५॥
હે દેવી ! હે આદિ-અંત રહિત આદિશક્તિ, હે મહેશ્વરી ! હે યોગથી પ્રગટ થયેલ ભગવતી મહાલક્ષ્મી ! તમને નમસ્કાર.
 
     स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ति महोदरे।
     महापापहरे देवि महालक्ष्मि नमोस्तु ते ॥६॥
હે દેવી ! આપ સ્થૂળ, સૂક્ષ્મ તથા મહારૌદ્રરૂપીણી, હે મહાશક્તિ, હે મહોદરા અને મોટા-મોટા પાપોનો નાશ કરનાર, હે દેવી મહાલક્ષ્મી, તમને નમસ્કાર.
 
     पद्मासनस्थिते देवि परब्रह्मस्वरूपिणि।
     परमेशि जगन्मातर्महालक्षि्म नमोस्तु ते ॥७॥
હે કમળના આસન ઉપર વિરાજમાન પરબ્રહ્મરૂપીણી દેવી ! હે પરમેશ્વરી ! હે જગદંબા ! હે મહાલક્ષ્મી ! તમને નમસ્કાર.
 
     श्वेताम्बरधरे देवि नानालङ्कारभूषिते।
     जगत्सि्थते जगन्मातर्महालक्षि्म नमोस्तु ते ॥८॥
હે દેવી, આપ શ્વેત વસ્ત્ર ધારણ કરનાર અને વિવિધ પ્રકારના આભૂષણોથી વિભૂષિત છો. સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત અને અખિલ લોકને જન્મ આપનાર, હે મહાલક્ષ્મી ! તમને નમસ્કાર.
 
     महालक्ष्म्यष्टकं स्तोत्रं य: पठेद्भक्ति मान्नर:।
     सर्वसिद्धिमवापनेति राज्यं प्रापनेति सर्वदा ॥९॥
જે મનુષ્ય ભક્તિયુક્ત આ મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો સદા પાઠ કરે છે, તે બધી સિદ્ધિઓ અને રાજ્ય-વૈભવને પ્રાપ્ત કરી શકે છે.
 
     एककाले पठेन्नित्यं महापापविनाशनम्।
     द्विकालं य: पठेन्नित्यं धनधान्यसमन्वित: ॥१०॥
જે પ્રતિદિન નિયમિત સમયે પાઠ કરે છે, એના મોટા-મોટા પાપોનો નાશ થઈ જાય છે. જે પ્રતિદિન નિયમિત બે વાર પાઠ કરે છે, એ ધન-ધાન્યથી સંપન્ન થઈ જાય છે.
 
     त्रिकालं य: पठेन्नित्यं महाशत्रुविनाशनम्।
     महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा ॥११॥
જે પ્રતિદિન ત્રણે કાળમાં (પ્રાતઃ, મધ્યાહ્ન, સંધ્યા) પાઠ કરે છે તેના મહાન શત્રુઓનો નાશ થાય છે અને તેના ઉપર કલ્યાણકારી વરદાયીની મહાલક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે.

નોંધ - અમુક કારણવશાત્ રચનાઓ પર ટિપ્પણી (Comments) ની સુવિધા બંધ કરવામાં આવી છે. આપની ટિપ્પણીઓ તેમજ અભિપ્રાયો માટે આપ અભિપ્રાય પૃષ્ઠનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પ્રકારની અગવડ બદલ માફી.

© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.