આપણા દેશની સંસ્કૃતિ જીવનમૂલ્યો પર આધારિત સંસ્કૃતિ છે. આપણા દેશનો ઇતિહાસ જીવનમૂલ્યોની મહિમા વધારનારો ઇતિહાસ છે. પરંતુ એ સંસ્કૃતિને આપણે ભૂલી રહ્યા છીએ અને સુખ, શાંતિને ગુમાવી રહ્યા છીએ. સુખ, શાંતિ તથા, સમાજની ઉન્નતિના માટે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવું એ આપણું પરમ કર્તવ્ય છે.
- સ્વામી વિવેકાનંદ

શ્રી ગણેશ વંદના

ગૌરી તણા તનય હે ! વર ઇષ્ટ દાતા,
        હે નાથ, આપ જગપાલક છો વિધાતા;
વિઘ્નો બધા દૂર કરી નિજ અંક થાપો,
        પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...(૧)
આવ્યો અહિં શરણમાં ચરણે તમારા,
        લાવ્યો ન ભેટ ધરવા ફળ, ફૂલમાળા;
કીધા નથી મન કરી તવ નામ જાપો,
        પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...(૨)
સવારી કરી મુશકની ઉપરે, ફરતા,
        ભક્તો તણાં સહુય સંકટને હરતા;
બાળો ભયંકર બધાં શત જન્મ પાપો,
        પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...(૩)
લંબોદરા, ગણપતિ, ગજકર્ણ દાદા !
        સો કોટિ ભાસ્કર સમા સુર વંધ દાતા;
મેલા મનોરથ બધા મમ સદા કાપો,
        પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...(૪)
હે નાથ ! નિર્મલ કરો મમ ચિત્ત બુદ્ધિ;
        શ્રીપાદ વલ્લભ, ભજું તમને સ-શુદ્ધિ;
સંતપ્ત છું, તન અને મન કષ્ટ કાપો;
        પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...(૫)
હું 'ભૂ' પરે ભટકતું છું અલ્પ પ્રાણી,
        કેડી મને ન મળતી દિશ કો જવાની;
હે નાથ ! હાથ મુજને ઝટ આપ આપો,
        પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...(૬)
દૂર્વા ન અર્પણ કરી, શિર મેં તમારા,
        ગંધાક્ષતે નવ કરી, કદી દુગ્ધ ધારા;
દોષો થતાં મધુ થકી સહુની ક્ષમા દો,
        પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...(૭)
વેગે સહાય કરવા, નિજ ભક્ત કેરી,
        નિત્યે જ તત્પર રહો, કરુણા ઘણેરી;
હે તાત ! આ જગતમાં સુખશાંતિ સ્થાપો,
        પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...(૮)
 
======== * ========

prarthana

સરસ

આપનો અભિપ્રાય જણાવો

આપનું ઇ-મેઇલ કોઈને દેખાડવામાં આવશે નહીં.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <small> <sup> <sub> <cite> <blockquote> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd> <h2> <h3> <h4> <img> <br> <p> <div> <span> <b> <i>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options

GujaratiEnglish
Press F12 to switch language

શું આ રચનામાં કોઇ ત્રુટિ છે?

જો આપને 'સનાતન જાગૃતિ' માં પ્રકાશિત રચનાઓમાં કોઇ ત્રુટિ જેવી કે વ્યાકરણ કે જોડણીની ભૂલો જોવા મળે તો કૃપયા એ ત્રુટિને સંપાદકને જરૂરથી જણાવશો જેથી એ ત્રુટિઓને સુધારી શકાય. સંપાદકને સંપર્ક કરવા માટે editor @ sanatanjagruti.org પર ઇ-મેઇલ કરો અથવા http://www.sanatanjagruti.org/feedback પૃષ્ઠ દ્વારા પણ જાણ કરી શકો છો.

ધન્યવાદ.

- સંપાદક, સનાતન જાગૃતિ