સનાતન જાગૃતિ
  • મુખ્ય પૃષ્ઠ
  • આપનો અભિપ્રાય
  • પરિચય
  • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Suckerfish My Menu

  • ભક્તિ
  • જ્ઞાન
  • સંસ્કાર
  • સાહિત્ય
  • સનાતન ગ્રંથાલય
    • શ્રીમદ્ ભગવદ્ ગીતા
    • તત્ત્વ બોધ
    • દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર
    • ભજ ગોવિન્દમ્
  • અન્ય વેબસાઇટો
    • સનાતન ચિત્રમંદિર
આપણા દેશની સંસ્કૃતિ જીવનમૂલ્યો પર આધારિત સંસ્કૃતિ છે. આપણા દેશનો ઇતિહાસ જીવનમૂલ્યોની મહિમા વધારનારો ઇતિહાસ છે. પરંતુ એ સંસ્કૃતિને આપણે ભૂલી રહ્યા છીએ અને સુખ, શાંતિને ગુમાવી રહ્યા છીએ. સુખ, શાંતિ તથા, સમાજની ઉન્નતિના માટે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવું એ આપણું પરમ કર્તવ્ય છે.
- સ્વામી વિવેકાનંદ
આપ અહીં છો »
સનાતન જાગૃતિ સાહિત્ય ઐતિહાસિક ઘટનાઓ
સિકંદર અને સંત કબીર
  • મુખ્ય પૃષ્ઠ
  • પંચાંગ
  • આપનો અભિપ્રાય
  • સ્નેહિને આમંત્રણ મોકલો

ભક્તિ

  • આરતી
  • કાવ્ય-પદ્ય-પદ
  • ચાલીસા
  • પ્રાર્થના
  • ભજન
  • વ્રત કથા
  • સ્તોત્ર-સ્તુતિ
  • બાવની

જ્ઞાન

  • કથા-પ્રવચન
  • તત્ત્વ દર્શન
  • બોધ-ઉપદેશ
  • વેદાન્ત

સંસ્કાર

  • જિજ્ઞાસા સમાધાન
  • ચરિત્ર કથા
  • પર્વ-ઉત્સવ
  • પ્રેરક પ્રસંગો
  • બોધ કથા
  • મમ કર્તવ્યમ્
  • રીતિ-રીવાજ

સાહિત્ય

  • આધ્યાત્મીક
  • ઐતિહાસિક ઘટનાઓ
  • ગીત-સંગીત

સિકંદર અને સંત કબીર

"ધર્મ એ કાંઇ ધર્મગુરુઓનો ઇજારો નથી. ઈશ્વરના દરબારમાં ઊચનીચના ભેદભાવ નથી. શું રામ, શું રહેમ, શું કૃષ્ણ, શું કરીમ, પરમ તત્ત્વ એક જ છે. નામ કેવળ જુદાં છે." ૧૪મી સદીમાં સંત કબીર પોતાના દોહતાઓ દ્વારા લોકોની ધર્માંધતાને આમ પડકારતા.
 
કબીરની વાળી સાંભળી મોલવીઓ અને બ્રાહ્મણો છંછેડાયા. તેમને પોતાનાં આસન ડોલતાં લાગ્યાં. કબીરની વધતી જતી લોકપ્રિયતા એ ધર્માંધો સાંખી શક્યા નહીં. તેમનો કોઈ હિસાબે કાંટો કાઢવા તેઓ તત્પર બન્યા.
 
એ વેળાએ દિલ્હીમાં લોદી વંશનો સિકંદર રાજ કરે. કબીરના વિરોધીઓની ગણતરી બાદશાહની કાનભંભેરણી કરી, કબીરને પિંજરે નાખી, એનું નૂર હણી લેનવાની હતી. આખરે એક દિવસ સંતને સિકંદરના દરબારમાં હાજર થવાનો હુકમ મળ્યો. સંત બાદશાહને દરબાર પહોંચ્યા. કાચાપોચાનો જુસ્સો દબાઈ જાય એવો એ યુગ હતો. ત્યારે વજ્રમાંથી ઘડાયેલી કબીરની કાયા સીનો તાણીને સિકંદર લોદી સમક્ષ ખડી થઈ.
 
"કબીરદાસ, યાદ રહે કે તમે શહેનશાહોના શહેનશાહ, નેક નામદાર, ખુલકના ખાવિંદ દિલ્હીશ્વર સિકંદર લોદી સામે ખડા છો ! તમે બાઅદબ બાદશાહને નમન કરો !" કોઈ એક દરબારીએ હુકમ કર્યો.
 
"બંધવા, કોણ શહેનશાહ ? કયો શહેનશાહ ? મારો તો એક જ શહેનશાહ અને તે પરમ કૃપાળુ પરમેશ્વર. આ માથું એ શહેનશાહોના શહેનશાહ સિવાય બીજા કોઈ સમક્ષ નમતું નથી." કબીરે દૃઢતા પૂર્વક જણાવ્યું.
 
કબીરની ગુસ્તાખી જોઈ દરબારીઓમાં સોપો પડી ગયો. અપમાનિત બાદશાહ સિકંદરની આંખોના ખૂણા લાલ થયા. વજીરોના હાથ તલવારની મૂઠે મંડાયા. કબીરનું માથું આંચકી લેવા એક નહીં પણ અનેક તલવારો મ્યાનમાં સળવળવા લાગી. ત્યાં કબીરે મધુર સ્વરે ગાવા માંડ્યું -
लीला मेरे लालकी, जीत देखो तीत लाल,
लीला देखन मय गई, मय भी हो गई लाल.
- રામનો મહિમા અપાર છે. જ્યાં જોઉ છું ત્યાં મને મારા ભગવાનની જ લીલા જોવા મળે છે. લાલની લીલા જોવા જતાં હું જ લાલ બની ગઈ.
 
"બાદશાહ સલામત, આ બંદો આ શહેનશાહ સિવાય અન્ય કોઈ શહેનશાહને પિછાણતો નથી." કબીરદાસના એ શબ્દો સાંભળી તથા એમના વિલોરી કાચ શાં સત્ય વચન સાંભળી ઉગ્ર સિકંદરનો રોષ આપમેળે શમી ગયો.
 
તેણે સરદારોને મ્યાન કરવા જણાવ્યું. પોતે સિંહાસન ઉપરથી ઊઠી એ વીરોના પણ વીરનાં વધામણાં કર્યાં. અત્યાર સુધી જેને બધા નમતા આવ્યા હતા એ વિજેતા સિકંદરે પોતાનું સર કબીરદાસનાં ચરણોમાં નમાવ્યું.
 
આમ વિજયની કલગીથી વિભૂષિત બનીને સંત અગ્નિપરિક્ષામાંથી પાર ઉતર્યા.
 
"સંત સુવાસ" પુસ્તક માંથી
લેખક: બેપ્સી એંજિનિયર
પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર
 
======== * ========
  • આપના મિત્રને મોકલો
  • ઐતિહાસિક ઘટનાઓ

સત્ય બોલવુ

21 ડિસેમ્બર 2008 - 5:33pm ના રોજ પમકા દ્વારા.

સત્ય બોલવુ એ દુસ્મન ને મુઝવવાનો શ્રેસ્થ ઉપાય છે.

  • પ્રત્યુત્તર આપો

આપનો પ્રતિભાવ જણાવો

આપનું ઇ-મેઇલ કોઈને દેખાડવામાં આવશે નહીં.
  • વેબસાઇટ અને ઇ-મેઇલ સરનામા સ્વતઃ કડીઓમાં ફેરવાય જશે.
  • સ્વીકાર્ય HTML ટેગસ્: <a> <em> <strong> <small> <sup> <sub> <cite> <blockquote> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd> <h2> <h3> <h4> <img> <br> <p> <div> <span> <b> <i>
  • નવી લીટી અને ફકરા સ્વતઃ બનશે.

વધુ વિકલ્પો તથા માહિતી માટે અહીં ક્લિક કરો

GujaratiEnglish
Press F12 to switch language

નવીનતમ

  • શ્રી અંબાજી માતાની આરતી
  • બે ફૂલ ચઢાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં
  • શ્રી શિવ પઞ્ચાક્ષર માલા
  • વેદ સાર શિવ સ્તવન
  • વન્દે શિવમ્ શઙ્કરમ્
  • आना पवन कुमार, हमारे ईस मंदिर में
  • બંધન અને મોક્ષ
  • ભારતીય નાગરિકો માટે રાષ્ટ્રીય આચાર સંહિતા
જો આપને 'સનાતન જાગૃતિ' માં પ્રકાશિત રચનાઓમાં કોઇ ત્રુટિ જેવી કે વ્યાકરણ કે જોડણીની ભૂલો જોવા મળે તો કૃપયા એ ત્રુટિને સંપાદકને જરૂરથી જણાવશો જેથી એ ત્રુટિઓને સુધારી શકાય. સંપાદકને સંપર્ક કરવા માટે editor @ sanatanjagruti.org પર ઇ-મેઇલ કરો અથવા આપનો અભિપ્રાય પૃષ્ઠ દ્વારા પણ જાણ કરી શકો છો.

ધન્યવાદ.

- સંપાદક, સનાતન જાગૃતિ
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
Creative Commons License