Gita Amrut | ગીતા અમૃત
ભગવદ્ ગીતા - અધ્યાય ૦૧
|
धृतराष्ट्र उवाच: ધૃતરાષ્ટ્ર બોલ્યા - હે સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? |
|
संजय उवाच સંજય બોલ્યા - એ વખતે વજ્રવ્યૂહથી ઊભી રહેલી પાંડવસેનાને જોઇને રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઇને આ વચન બોલ્યા. |
|
पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् । હે આચાર્ય ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા વ્હૂહરચનાથી ઊભી કરાયેલી પાંડવોની આ ઘણી મોટી સેનાને જુઓ. |
|
अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि । અહીં (પાંડવોની સેનામાં) મોટાંમોટાં શૂરવીરો છે, જેમનાં ઘણાં જ મોટાંમોટાં ધનુષ્યો છે તથા જેઓ યુદ્ધમાં ભીમ અને અર્જુનના સમાન છે. તેઓમાં યુયુધાન (સાત્યકિ), રાજા વિરાટ અને મહારથી દ્રુપદ પણ છે. ધૃષ્ટકેતુ અને ચેકિતાન તથા પરાક્રમી કાશીરાજ પણ છે. પુરુજિત અને કુંતીભોજ - એ બન્ને ભાઇઓ તથા મનુષ્યોમાં શ્રેષ્ઠ શૈબ્ય પણ છે. પરાક્રમી ઉત્તમૌજા પણ છે. સુભદ્રાપુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પાંચેય પુત્રો પણ છે. એ સઘળેસઘળા મહારથી છે. |
|
अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विहोत्तम । હે દ્વિજોત્તમ ! અમારા પક્ષમાં પણ જેઓ મુખ્ય છે, એમના ઉપર પણ આપ ધ્યાન આપો. આપને યાદ અપાવવા માટે મારી સેનાના જે નાયકો છે, તેઓને હું કહું છું. |
|
भवान्भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः । આપ (દ્રોણાચાર્ય) અને પિતામહ ભીષ્મ તથા કર્ણ અને સંગ્રામવિજયી કૃપાચાર્ય તથા એવા જ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા. |
|
अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः । એમના ઉપરાંત બીજા ઘણાયે શૂરવીરો છે, જેમણે મારે માટે પોતાની જીવવાની ઇચ્છાનો પણ ત્યાગ કરી દીધો છે અને જેઓ અનેક પ્રકારનાં અસ્ત્રશસ્ત્રોને ચલાવવાવાળા છે તથા જેઓ સઘળેસઘળી યુદ્ધકળામાં અત્યંત ચતુર છે. |
|
अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् । તે અમારી સેના પાંડવો ઉપર વિજય મેળવવા અપૂરતી છે, અસમર્થ છે; કેમકે તેના સંરક્ષક (બન્ને પક્ષનું ભલું ઇચ્છનારા) ભીષ્મ છે. પરંતુ આ પાંડવોની સેના અમારા ઉપર વિજય મેળવવા પૂરતી છે, સમર્થ છે; કેમકે તેના સંરક્ષક (પોતાની સેનાનો જ પક્ષ ખેંચનાર) ભીમસેન છે. |
|
अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः । આપ સઘળેસઘળા લોકો બધા મોરચાઓ ઉપર પોતપોતાની જગાએ દ્રઠતાથી ઊભા રહીને જ પિતામહ ભીષ્મનું ચારે બાજુથી રક્ષણ કરો. |
|
तस्य सञ्जनयन्हर्षं कुरुवृद्धः पितामहः । દુર્યોધનના હ્રદયમાં હર્ષ ઉત્પન્ન કરતાં કુરુવૃદ્ધ પ્રભાવશાળી પિતામહ ભીષ્મે સિંહની જેમ ગર્જના કરીને જોરથી શંખ વગાડ્યો. |
- 1 of 3
- ››

