Bhakti Sudha | ભક્તિ સુધા
|
यं स्मा पृच्छन्ति कुह सेति घोरं उतेमाहुर्नैषो अस्तीत्येनम् । ऋगवेद २/१२/५ જે અદભુત ઉગ્ર ઈશ્વરના વિષયમાં ઘણા પ્રશ્ન કરે છે કે "તે ક્યાં છે?" અને જેના વિષયમાં ઘણા કહેતા રહે છે કે "તે છે જ નથી" - આવા વિપરીતગામી સ્વાર્થી પુરુષની સમૃદ્ધિને ભૂકંપમાં નષ્ટ થઈ જાય છે. હે મનુષ્ય, એ પરમેશ્વર પર શ્રદ્ધા રાખ. |
|
य एक इत् तमु ष्टुहि कृष्टीनां विचर्षणिः । ऋगवेद ६/४५/१६ જે એક જ છે અને જે મનુષ્યોના સર્વદ્રષ્ટા અને સર્વશક્તિમાન પાલક છે એની જ તું સ્તુતિ કર. |
|
न द्वितीयो न तृतीयश्चरुर्थो नाप्युच्यते । न पंचमो न षष्ठः सप्तमो नाप्युच्यते । अथर्ववेद १३/४/१६-२० ન તો એ બીજો છે, ન ત્રીજો અને ન ચોથો. ન તો એ પાંચમો છે, ન છંઠો અને ન સાતમો. ન તો એ આઠમો છે, ન નવમો અને ન દસમો. શ્વાસ લેનાર અને શ્વાસ ન લેનાર દરેકની એ દેખભાળ રાખે છે. સામર્થ્યનો ભંડાર એ એક જ છે. આ પરમેશ્વરમાં પૃથ્વી આદિ બધા લોક એક સ્વરૂપે વિદ્યમાન રહે છે. |
|
इन्द्रं मित्रं वरुणमग्निमाहुरथो दिव्यः स सुपर्णो गरुत्मान । अथर्ववेद ६/१०/२८ ઇન્દ્ર, મિત્ર, વરુણ અને અગ્નિ પરમાત્માના જ નામ છે. એ પરમાત્મા જ ગુરુત્માન અને સુપર્ણ તરીકે ઓળખાય છે. એ પરમાત્મા જ યમ, અગ્નિ અને માતરિશ્વા કહેવાય છે. વિદ્વાન લોક એ જ પરમ સત્ પરમાત્માનું ઘણા પ્રકારે વર્ણન કરે છે. |
|
ईशा वास्यमिदं सर्वं यत्किंच जगत्यां जगत् । यजुर्वेद ४०/१ આ સંસારમાં જે કાંઈ પણ સૃષ્ટિ છે, તે ઈશ્વર દ્વારા વ્યાપ્ત છે, તેથી તું ત્યાગ ભાવથી જ ભોગ પ્રાપ્ત કર, કોઈ બીજાના ધનની ક્યારે પણ ચાહ ન રાખ. |

