Bhakti Sudha | ભક્તિ સુધા
|
स पर्यगाच्छुक्रमकायमव्रण मस्नाविरं शुद्धमपापविद्धम् । यजुर्वेद ४०/८ – ईशावास्योपनिषद् એ પરમેશ્વર સર્વત્ર વ્યાપક છે, એ શક્તિશાળી, શરીર રહિત, વ્રણ (ઘા) રહિત, બન્ધનો રહિત, શુદ્ધ, પાપોથી મુક્ત, સર્વજ્ઞ, મનોના ઈશ્વર એટલે કે મનને પ્રેરણા આપનાર, સર્વત્ર પ્રકટ, સ્વતંત્ર સત્તાથી વિદ્યમાન તથા સમસ્ત પ્રકારની પજાઓની રચના કરનાર છે. |
|
अप तस्य हतं तमो व्यावृतः सः पाप्मना । अथर्ववेद १०/७/४० એ પરમેશ્વરની શક્તિથી સર્વ અંધકાર વિનષ્ટ થઈ જાય છે, એ સમસ્ત પાપોથી અલગ રહે છે, અને એ પ્રજાપતિમાં ત્રણે જ્યોતિઓ વિરાજમાન છે. |
|
गर्भो यो अपां गर्भो वनानां गर्भश्च सथातां गर्भश्चरथाम । ऋगवेद १/७०/२ એ પરમેશ્વર જલમાં અને વનોમાં (ગુપ્ત રૂપથી) વિદ્યમાન છે, અચલ અને ચલ પદાર્થોમાં વ્યાપક છે, પર્વતો અને (સામાન્ય) ગૃહોમાં પણ વિરાજમાન છે, અમે એ પરમેશ્વરની આરાધના કરીએ, એ અમૃતમય સમસ્ત સંસારના પોષક છે. |
|
वया इदग्ने अग्नयस्ते अन्ये त्वे विश्वे अमृता मादयन्ते । ऋगवेद १/५६/१ હે અગ્નિ ! તમારા સિવાય અન્ય અગ્નિ (સૂર્ય, નક્ષત્ર આદિ) તમારી શાખાઓ સમાન છે, બધા અવિનાશી જીવગણ તમારા પર આશ્રિત થઈ આનંદ અનુભવે છે. હે સમસ્ત સંસારના સંચાલક, આપ સૌ જીવો અને તત્ત્વોનો આશ્રય છે, અને જેમ સ્તંભ ઘરને ટેકો આપે છે તે જ પ્રકારે તમે સૌ જન અને જંતુઓના નિયમને ટેકો આપો છો. |
|
यस्मान्न ऋते विजयन्ते जनसो यं युध्यमाना अवसे हवन्ते । ऋगवेद २/१/२६ જેના વગર લોક કોઈ કાર્યમાં વિજય નથી મેળવી શકતા અર્થાત્ સફળ નથી થઈ શકતા, યુદ્ધ કરતી સમયે જેને પોતાની રક્ષા કરવા માટે બોલાવે છે, જે (અનન્ય) સૌથી જયેષ્ઠ અર્થાત્ સૌની તુલનામાં સર્વસમર્થ છે, જે અતિ દૃઢ પદાર્થોને પણ કાલવેગથી નષ્ટ કરી દેનાર છે, હે મનુષ્ય! એ ઇન્દ્ર અર્થાત્ પરમેશ્વર છે. |
- 1 of 3
- ››

