સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
ઈશ્વરનું સ્મરણ સર્વ રોગોની એક માત્ર મહાન દવા છે.
સ્વામી દયાનંદ

Mailing List

નવી રચનાઓ ઇ-મેઇલ મારફતે મેળવો

Close

Quick Links

  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • આમંત્રણ મોકલો

Stay Connected

  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us

Follow sanatanjagruti on Twitter

Bhakti Sudha | ભક્તિ સુધા

स पर्यगाच्छुक्रमकायमव्रण मस्नाविरं शुद्धमपापविद्धम् ।
कविर्मनीषी परिभूः स्वयम्भू र्याथातथ्यतोऽर्थान् व्यदधाच्छाश्वतीभ्यः समाभ्यः ॥

यजुर्वेद ४०/८ – ईशावास्योपनिषद्

એ પરમેશ્વર સર્વત્ર વ્યાપક છે, એ શક્તિશાળી, શરીર રહિત, વ્રણ (ઘા) રહિત, બન્ધનો રહિત, શુદ્ધ, પાપોથી મુક્ત, સર્વજ્ઞ, મનોના ઈશ્વર એટલે કે મનને પ્રેરણા આપનાર, સર્વત્ર પ્રકટ, સ્વતંત્ર સત્તાથી વિદ્યમાન તથા સમસ્ત પ્રકારની પજાઓની રચના કરનાર છે.

अप तस्य हतं तमो व्यावृतः सः पाप्मना ।
सर्वाणि तस्मिन् ज्योतींषि यानि त्रीणि प्रजापतौ ॥

अथर्ववेद १०/७/४०

એ પરમેશ્વરની શક્તિથી સર્વ અંધકાર વિનષ્ટ થઈ જાય છે, એ સમસ્ત પાપોથી અલગ રહે છે, અને એ પ્રજાપતિમાં ત્રણે જ્યોતિઓ વિરાજમાન છે.

गर्भो यो अपां गर्भो वनानां गर्भश्च सथातां गर्भश्चरथाम ।
अद्रौ चिदस्मा अन्तर्दुरोणे विशां न विश्वो अम्र्तः सवाधीः ॥

ऋगवेद १/७०/२

એ પરમેશ્વર જલમાં અને વનોમાં (ગુપ્ત રૂપથી) વિદ્યમાન છે, અચલ અને ચલ પદાર્થોમાં વ્યાપક છે, પર્વતો અને (સામાન્ય) ગૃહોમાં પણ વિરાજમાન છે, અમે એ પરમેશ્વરની આરાધના કરીએ, એ અમૃતમય સમસ્ત સંસારના પોષક છે.

वया इदग्ने अग्नयस्ते अन्ये त्वे विश्वे अमृता मादयन्ते ।
वैश्वानर नाभिरसि क्षितीनां स्थूणेव जनां उपमिद्ययन्थ ॥

ऋगवेद १/५६/१

હે અગ્નિ ! તમારા સિવાય અન્ય અગ્નિ (સૂર્ય, નક્ષત્ર આદિ) તમારી શાખાઓ સમાન છે, બધા અવિનાશી જીવગણ તમારા પર આશ્રિત થઈ આનંદ અનુભવે છે. હે સમસ્ત સંસારના સંચાલક, આપ સૌ જીવો અને તત્ત્વોનો આશ્રય છે, અને જેમ સ્તંભ ઘરને ટેકો આપે છે તે જ પ્રકારે તમે સૌ જન અને જંતુઓના નિયમને ટેકો આપો છો.

यस्मान्न ऋते विजयन्ते जनसो यं युध्यमाना अवसे हवन्ते ।
यो विश्वस्य प्रतिमानं बभूव तो अच्युतच्युत स जनसा इन्द्रः ॥

ऋगवेद २/१/२६

જેના વગર લોક કોઈ કાર્યમાં વિજય નથી મેળવી શકતા અર્થાત્ સફળ નથી થઈ શકતા, યુદ્ધ કરતી સમયે જેને પોતાની રક્ષા કરવા માટે બોલાવે છે, જે (અનન્ય) સૌથી જયેષ્ઠ અર્થાત્ સૌની તુલનામાં સર્વસમર્થ છે, જે અતિ દૃઢ પદાર્થોને પણ કાલવેગથી નષ્ટ કરી દેનાર છે, હે મનુષ્ય! એ ઇન્દ્ર અર્થાત્ પરમેશ્વર છે.

  •  
  • 1 of 3
  • ››
© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.