આત્મા

आत्मा तर्हि कः ?
सच्चिदानन्दस्वरूपः आत्मा ।
આત્મા તર્હિ કઃ ?
સચ્ચિદાનન્દસ્વરૂપઃ આત્મા ।
 
[ભાવાર્થ]
તો પછી આત્મા શું છે.
આત્મા સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ છે.
 
[વ્યાખ્યા]
ગ્રંથના આરંભમાં સાધન ચતુષ્ટ્ય સમજાવ્યાં બાદ તત્ત્વવિવેકનું વર્ણન પ્રારંભ કર્યું હતું. ત્યાં કહ્યું હતું કે આત્માનું જ્ઞાન જ તત્ત્વવિવેક છે. ત્યાં આત્માનો પરિચય આપતા કહ્યું હતું કે ત્રણ શરીરોથી પૃથક અને પંચકોશો સિવાય જે ત્રણેય અવસ્થાઓનો સાક્ષી સચ્ચિદાનન્દ સ્વરૂપ છે તે જ આત્મા છે. હવે ત્રણ શરીર, પંચકોશ અને ત્રણ અવસ્થાઓનું વર્ણન કરી આ સ્પષ્ટ કરી દીધું કે આત્મા આમાંથી કોઈ પણ નથી. આત્મા તો સચ્ચિદાનન્દ સ્વરૂપ છે. હવે આત્માના આ જ લક્ષણોનું વર્ણન કરીએ છીએ.
 
सत्किम् ?
कालत्रयेऽपि निष्ठतीति सत् ।
સત્કિમ્ ?
કાલત્રયેઽપિ નિષ્ઠતીતિ સત્ ।
 
[ભાવાર્થ]
સત્ શું છે?
સત્ તે છે જે ત્રણેય કાળોમાં રહે.
 
[વ્યાખ્યા]
વિવેક એ બુદ્ધિ છે જેનાથી સત્ અને અસત્ નો ભેદ જ્ઞાત થાય છે. આત્મા સત્સ્વરૂપ છે. આના જ્ઞાન હેતુ વિવેક હોવું અનિવાર્ય છે. આથી સાધન ચતુષ્ટ્યમાં વિવેકની આવશ્યકતા માનવામાં આવી છે. વિવેક બુદ્ધિથી આપણે સત્ ના લક્ષણો સમજી શકાય છીએ. કેટલાક લોકો જાગ્રત અવસ્થામાં દેખાતી કે ઇન્દ્રિયોથી અનુભવમાં આવવાવાળી વસ્તુઓને સત્ય સમજી લે છે. આ મિથ્યા ધારણા છે. જોવામાં તો સ્વપ્ન પણ દેખાય છે, આકાશ પણ વાદળી અને ગોળ દેખાય છે, મરુસ્થળ (રણપ્રદેશ) માં પણ પાણી દેખાય છે, જાદુગર દ્વારા નિર્મિત હાથી દેખાય છે પરંતુ આમાંથી કોઈ પણ સત્ય નથી, આ બધું આપણે જાણીએ છીએ. આનું મિથ્યાત્વ આનાથી જ સિદ્ધ થાય છે કે સ્વપ્ન આદિમાં જે કઈ પણ દેખાય છે તે એના હોવા પહેલા કે પછી દેખાય નથી દેતું.
 
સત્ય તે જ છે જે ત્રણે કાળોમાં વિદ્યમાન રહે છે. ભૂતકાળમાં જે વસ્તુ હંમેશા હતી, હમણાં પણ છે અને ભવિષ્યમાં પણ ક્યારેય, કોઈ પણ રીતે નષ્ટ નહીં થાય તે જ સત્ છે. માટી અને ઘડાના દૃષ્ટાંતમાં આને સ્પષ્ટ રીતે સમજી શકાય છે. માટી ત્રણે કાળોમાં છે, તેથી તે સત્ છે. કુંભારે જ્યારે ઘડો બનાવ્યો ત્યારે ઘડાની ઉત્પત્તિ થઈ, તે પહેલા તે ઘડો નહીં હતો. વર્તમાનમાં તે દેખાય છે પરંતુ ફૂટવા પર તે ફરીથી નહીં રહેશે, તેથી તે અસત્ છે.
 
આત્મા તે વસ્તુ છે જે સમસ્ત જગતની રચના પૂર્વ હતી, હમણાં પણ છે અને જગતના નષ્ટ થવા પર પણ વિદ્યમાન રહેશે. આપણામાં આપણે અનુભવ દ્વારા જોઈ શકીએ છીએ કે ત્રણ શરીરો અને ત્રણ અવસ્થાઓ બદલાઈ રહી છે, તે હંમેશા વિદ્યમાન નથી પરંતુ એ બધાના જ્ઞાતા આપણે સ્વયં હંમેશા વિદ્યમાન રહીએ છીએ. આપણો અભાવ આપણે ક્યારેય નથી કરતા.
 
चित्किम् ?
ज्ञानस्वरूपः ।
ચિત્કિમ્ ?
જ્ઞાનસ્વરૂપઃ ।
 
[ભાવાર્થ]
ચિત્ શું છે.
આ અજ્ઞાન સ્વરૂપ છે.
 
[વ્યાખ્યા]
આત્મા ચિત્ સ્વરૂપ છે. આપણે બધા આપણને ચેતન અનુભવ કરીએ છીએ. આ ચેતના આત્માનું લક્ષણ છે. આ ચેતનાના પ્રકાશમાં બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો કોઈ (બધી) વસ્તુઓનું જ્ઞાન ગ્રહણ કરે છે. સુષુપ્તિ કે સમાધિના સમયે આ બધાનું (મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોનું) લય થઈ જવા પર પણ ચિત્સ્વરૂપ આત્મા વિદ્યમાન રહે છે. આ સમયે આપણે આપણા જ પ્રકાશમાં આપણી સત્તા અનુભવ કરીએ છીએ. આ ચેતના જ સત્ છે અને સત્ ચિત્સ્વરૂપ છે.
 
आनन्दः कः ?
सुखस्वरूपः ।
આનન્દઃ કઃ ?
સુખસ્વરૂપઃ ।
 
[ભાવાર્થ]
આનંદ શું છે?
આ સુખ સ્વરૂપ છે.
 
[વ્યાખ્યા]
આત્મા સુખ સ્વરૂપ છે. આપણી જ ચેતનાથી આપણા નિરપેક્ષ સુખનો અનુભવ થાય છે. આત્મા નિત્ય છે, તેથી એનું સુખ પણ નિત્ય છે. મનમાં અનુભવ થવાવાળા વિષયોનું સુખ પણ વાસ્તવમાં આત્માનું જ સુખ છે. કોઈ વિષયની પ્રાપ્તિથી મનમાં જે ક્ષણિક શાંતિ આવે છે એમાં આત્માના આનંદની ઝલક દેખાય છે. ભ્રમને કારણે આપણે એ વિષયનું સુખ સમજીએ છીએ. પંચકોશોના આવરણ હટાવવા પર આત્માની નિત્યતા, ચેતના અને સુખ સ્પષ્ટ રૂપથી અનુભવ થાય છે.
 
एवं सच्चिदानन्दस्वरूपं,स्वात्मानं किजानीयात् ।
એવં સચ્ચિદાનન્દસ્વરૂપં,સ્વાત્માનં કિજાનીયાત્ ।
 
[ભાવાર્થ]
આ પ્રકારે સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ આપણી આત્માને જાણવું જોઇએ.
 
[વ્યાખ્યા]
આત્માનો અર્થ છે - હું સ્વયં. જે આપણાથી પૃથક નથી, આપણું જ સ્વરૂપ છે તે આત્મા છે. આત્માના લક્ષણ જ મારા લક્ષણ છે. હું સ્વયં સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ છું. શરીર-મન-બુદ્ધિ અનાત્મા છે. એના આવરણમાં આપણે સ્વયં ખુદને નથી જોઈ રહ્યા. આચાર્યનો આદેશ છે કે આ આવરણોને હટાવી પોતાને જાણવાનો પ્રયાસ કરવો જોઇએ.
 
======== * ========