નારદ ભક્તિ સૂત્ર

Devarshi Narada is considered as the most excellent preceptor of the path of devotion. In this book the aphorisms on devotion propounded by Him has been published with transletion.

નારદ ભક્તિ સૂત્ર

અધ્યાય પહેલો

દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર - અધ્યાય પહેલો
 
अथातो भक्तिं व्याख्यास्यामः ॥१॥
અથાતો ભક્તિં વ્યાખ્યાસ્યામઃ ॥૧॥
ભાવાર્થ - હવે આપણે ભક્તિની વ્યાખ્યા કરીશું.
 
सा त्वस्मिन परप्रेमरूपा ॥२॥
સા ત્વસ્મિન પરપ્રેમરૂપા ॥૨॥
ભાવાર્થ - તે (ભક્તિ) ઈશ્વરના પ્રતિ પરમ પ્રેમરૂપા છે.
 
अमृतस्वरूपा च ॥३॥
અમૃતસ્વરૂપા ચ ॥૩॥
ભાવાર્થ - અને અમૃતસ્વરૂપા પણ છે.
 
यल्लब्धवा पुमान सिध्दो भवति अमृतो भवति तृप्तो भवति ॥४॥
યલ્લબ્ધવા પુમાન સિધ્દો ભવતિ અમૃતો ભવતિ તૃપ્તો ભવતિ ॥૪॥
ભાવાર્થ - જેને (પરમ પ્રેમરૂપા અને અમૃતસ્વરૂપા ભક્તિને) મેળવીને મનુષ્ય સિધ્ધ થઇ જાય છે, અમર થઇ જાય છે  અને તૃપ્ત થઇ જાય છે.
 
यत्प्राप्य न किन्चित वाञ्छति न शोचति न द्वेष्टि न रमते नोत्साही भवति ॥५॥
યત્પ્રાપ્ય ન કિન્ચિત વાઞ્છતિ ન શોચતિ ન દ્વેષ્ટિ ન રમતે નોત્સાહી ભવતિ ॥૫॥
ભાવાર્થ - જેની (પ્રેમરૂપા ભક્તિની) પ્રાપ્તિ થવાથી મનુષ્ય ન કોઇ વસ્તુની ઇચ્છા કરે છે, ન શોક કરે છે, ન દ્વેષ કરે છે, ન કોઇ વસ્તુમાં આસક્ત થાય છે, અને ન તો તેને ઉત્સાહ (વિષય ભોગોની પ્રાપ્તિમાં) થાય છે.
 
यज्ज्ञात्वा मत्तो भवति स्तब्धो भवति आत्मारामो भवति ॥६॥
યજ્જ્ઞાત્વા મત્તો ભવતિ સ્તબ્ધો ભવતિ આત્મારામો ભવતિ ॥૬॥
ભાવાર્થ - જેને (પરમ પ્રેમરૂપા ભક્તિને) જાણીને જ મનુષ્ય ઉત્તમ થઇ જાય છે, સ્તબ્ધ (શાંત) થઇ જાય છે, અને આત્મારામ બની જાય છે.
 
सा न कामयमाना निरोधरूपत्वात ॥७॥
સા ન કામયમાના નિરોધરૂપત્વાત ॥૭॥
ભાવાર્થ - તે (ભક્તિ) કામના યુક્ત નથી; કારણ કે તે (ભક્તિ) નિરોધસ્વરૂપા છે.
 
नेरोधस्तु लोकवेदव्यापारन्यासः ॥८॥
નેરોધસ્તુ લોકવેદવ્યાપારન્યાસઃ ॥૮॥
ભાવાર્થ - લૌકિક અને વૈદિક (સમસ્ત) કર્મોંના ત્યાગને નિરોધ કહેવાય છે.
 
तस्मिन्ननन्यता तद्विरोधिषूदासीनता च ॥९॥
તસ્મિન્નનન્યતા તદ્વિરોધિષૂદાસીનતા ચ ॥૯॥
ભાવાર્થ - એ પ્રિયતમ ભગવાનમાં અનન્યતા અને એની પ્રતિકૂલ વિષયમાં ઉદાસીનતાને પણ નિરોધ કહેવાય છે.
 
अन्याश्रयाणां त्यागोडनन्यता ॥१०॥
અન્યાશ્રયાણાં ત્યાગોડનન્યતા ॥૧૦॥
ભાવાર્થ - (આપણા પ્રિયતમ ભગવાનને છોડીને) બીજા આશ્રયોનો ત્યાગનું નામ અનન્યતા છે.
 
लोकवेदेषु तदनुकूलाचरणं तदविरोधिषूदासीनता ॥११॥
લોકવેદેષુ તદનુકૂલાચરણં તદવિરોધિષૂદાસીનતા ॥૧૧॥
ભાવાર્થ - લૌકિક અને વૈદિક કર્મોંમા ભગવાનને અનુકૂળ કર્મ કરવું એજ એની પ્રતિકૂળ વિષયોમાં ઉદાસીનતા છે.
 
भवतु निश्चयदाढर्यादूर्ध्वं शास्त्ररक्षणम् ॥१२॥
ભવતુ નિશ્ચયદાઢર્યાદૂર્ધ્વં શાસ્ત્રરક્ષણમ્ ॥૧૨॥
ભાવાર્થ - (વિધિ-નિષેધથી અતીત અલૌકિક પ્રેમ પ્રાપ્ત કરવાનો મનમાં) દ્રઢ઼ નિશ્ચય કર્યા પછી પણ શાસ્ત્રની રક્ષા કરવી જોઇએ. અર્થાત્ ભગવદાનુકૂળ શાસ્ત્રોક્ત કર્મ કરવા જોઇએ.
 
अन्यथा पातित्यशङ्कया ॥१३॥
અન્યથા પાતિત્યશઙ્કયા ॥૧૩॥
ભાવાર્થ - નહીં તો પડી જવાની સમ્ભાવના છે.
 
लोकोऽपि तावदेव भोजनादि व्यापारस्त्वाशरीरधारणावधि ॥१४॥
લોકોઽપિ તાવદેવ ભોજનાદિ વ્યાપારસ્ત્વાશરીરધારણાવધિ ॥૧૪॥
ભાવાર્થ - લૌકિક કર્મોંને પણ ત્યાર સુધી (બાહ્યજ્ઞાન રહેવા સુધી) વિધિપૂર્વક કરવા જોઇએ.
 
तल्लक्षणानि वाच्यन्ते नानामतभेदात् ॥१५॥
તલ્લક્ષણાનિ વાચ્યન્તે નાનામતભેદાત્ ॥૧૫॥
ભાવાર્થ - હવે નાના મતોના અનુસાર એ ભક્તિના લક્ષણ કહે છે.
 
पूजादिष्वनुराग इति पराशर्यः ॥१६॥
પૂજાદિષ્વનુરાગ ઇતિ પરાશર્યઃ ॥૧૬॥
ભાવાર્થ - પરાશરનન્દન શ્રીવ્યાસજીના મતાનુસાર ભગવાનની પૂજા આદીમાં અનુરાગ થવો એ ભક્તિ છે.
 
कथादिष्विति गर्गः ॥१७॥
કથાદિષ્વિતિ ગર્ગઃ ॥૧૭॥
ભાવાર્થ - શ્રીગર્ગાચાર્યના મતમાં ભગવાનની કથા આદીમાં અનુરાગ થવો એજ ભક્તિ છે.
 
आत्मरत्यविरोधेनेति शाण्डिल्यः ॥१८॥
આત્મરત્યવિરોધેનેતિ શાણ્ડિલ્યઃ ॥૧૮॥
ભાવાર્થ - શાણ્ડિલ્ય ઋષિના મતાનુસાર આત્મરતિનાં અવરોધી વિષયોમાં અનુરાગ થવો એજ ભક્તિ છે.
 
नारदस्तु तदर्पिताखिलाचारता तद्विस्मरणे परमव्याकुलतेति ॥१९॥
નારદસ્તુ તદર્પિતાખિલાચારતા તદ્વિસ્મરણે પરમવ્યાકુલતેતિ ॥૧૯॥
ભાવાર્થ - પરંતુ દેવર્ષિ નારદનાં (મારા) મતમાં આપણા બધા કર્મોંને ભગવાનને અર્પણ કરવા અને ભગવાનનું થોડું પણ વિસ્મરણ થવાથી થતી પરમ વ્યાકુળતા એજ ભક્તિ છે.
 
अस्त्येवमेवम् ॥२०॥
અસ્ત્યેવમેવમ્ ॥૨૦॥
ભાવાર્થ - આજ ભક્તિ છે. (આજ બરાબર છે.)
 
यथा व्रजगोपिकानाम ॥२१॥
યથા વ્રજગોપિકાનામ ॥૨૧॥
ભાવાર્થ - જેમકે વ્રજગોપીયોંની (ભક્તિ)
 
तत्रापि न माहात्म्यज्ञानविस्मृत्यपवादः ॥२२॥
તત્રાપિ ન માહાત્મ્યજ્ઞાનવિસ્મૃત્યપવાદઃ ॥૨૨॥
ભાવાર્થ - એમાં પણ (ગોપી પ્રેમમાં) માહાત્મ્ય જ્ઞાન (પરમાર્થ જ્ઞાન) નો અપવાદ ન હતો.
 
तद्विहीनं जाराणामिव ॥२३॥
તદ્વિહીનં જારાણામિવ ॥૨૩॥
ભાવાર્થ - એના વિના (ભગવાનને ભગવાન જાણ્યા વિના કરવામાં આવેલ પ્રેમ), જારની (પ્રેમની) સમાન છે.
 
नास्त्येव तस्मिन तत्सुखसुखित्वम् ॥२४॥
નાસ્ત્યેવ તસ્મિન તત્સુખસુખિત્વમ્ ॥૨૪॥
ભાવાર્થ - એમાં (જાર પ્રેમમાં) પ્રિયતમના સુખથી, એ સુખ (પરમાર્થ સુખ) નથી.
 
======== * ========

અધ્યાય બીજો

દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર - અધ્યાય બીજો
 
सा तु कर्मज्ञानयोगेभ्योऽप्यधिकतरा ॥२५॥
સા તુ કર્મજ્ઞાનયોગેભ્યોઽપ્યધિકતરા ॥૨૫॥
ભાવાર્થ - એ (પ્રેમરૂપા ભક્તિ) તો કર્મ, જ્ઞાન, અને યોગથી પણ શ્રેષ્ઠતર છે.
 
फलरूपत्त्वात् ॥२६॥
ફલરૂપત્ત્વાત્ ॥૨૬॥
ભાવાર્થ - કારણ કે (એ ભક્તિ) ફલરૂપા છે.
 
ईश्वरस्याप्यभिमानद्वेषित्वात् दैन्यप्रियत्वात् च ॥२७॥
ઈશ્વરસ્યાપ્યભિમાનદ્વેષિત્વાત્ દૈન્યપ્રિયત્વાત્ ચ ॥૨૭॥
ભાવાર્થ - ઈશ્વરનો પણ અભિમાનથી દ્વેષભાવ છે તથા દૈન્યથી (દીનથી) પ્રિયભાવ છે.
 
तस्याः ज्ञानमेव साधनमित्येके ॥२८॥
તસ્યાઃ જ્ઞાનમેવ સાધનમિત્યેકે ॥૨૮॥
ભાવાર્થ - એનું (ભક્તિનું) સાધન જ્ઞાન જ છે, કોઇકનો (આચાર્યોનો) આ મત છે.
 
अन्योन्याश्रयत्वमित्यन्ये ॥२९॥
અન્યોન્યાશ્રયત્વમિત્યન્યે ॥૨૯॥
ભાવાર્થ - બીજા (આચાર્યો) નો મત છે કે ભક્તિ અને જ્ઞાન પરસ્પર એકબીજાને આશ્રિત (આધારિત) છે.
 
स्वयं फलरूपतेति ब्रह्मकुमारः ॥३०॥
સ્વયં ફલરૂપતેતિ બ્રહ્મકુમારઃ ॥૩૦॥
ભાવાર્થ - બ્રહ્મકુમારોના (સનત્કુમાર આદિ અને નારદજીના) મતાનુસાર ભક્તિ સ્વયં ફલરૂપા છે.
 
राजगृहभोजनादिषू तथैव दृष्टत्वात् ॥३१॥
રાજગૃહભોજનાદિષૂ તથૈવ દૃષ્ટત્વાત્ ॥૩૧॥
ભાવાર્થ - રાજગૃહ અને ભોજનાદિમાં પણ એવું જ જોવા મળે છે. (ભૂખ દૂર કરવાની ઇચ્છા કોઇ નથી કરતું, ભોજન કરવાની ઇચ્છા કરે છે.)
 
न तेन राजा परितोषः क्षुच्छान्तिर्वा ॥३२॥
ન તેન રાજા પરિતોષઃ ક્ષુચ્છાન્તિર્વા ॥૩૨॥
ભાવાર્થ - ન તો એનાથી (જાણવા માત્રથી) રાજાને પ્રસન્નતા થશે, ન તો એની (આત્માની) ક્ષુધા (ભૂખ) મટશે.
 
तस्मात् सैव ग्राह्या मुमुक्षुभिः ॥३३॥
તસ્માત્ સૈવ ગ્રાહ્યા મુમુક્ષુભિઃ ॥૩૩॥
ભાવાર્થ - તેથી (સંસારના બંધનોથી) મુક્ત થવાની ઇચ્છા રાખનાર લોકોએ ભક્તિ જ ગ્રહણ કરવી જોઇએ.
 
======== * ========

અધ્યાય ત્રીજો

દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર - અધ્યાય ત્રીજો
 
तस्याः साधनानि गायन्त्याचार्याः ॥३४॥
તસ્યાઃ સાધનાનિ ગાયન્ત્યાચાર્યાઃ ॥૩૪॥
ભાવાર્થ - આચાર્યગણ એ ભક્તિના સાધન બતાવે છે.
 
तत्तु विषयत्यागात् सङ्गत्यागात् च ॥३५॥
તત્તુ વિષયત્યાગાત્ સઙ્ગત્યાગાત્ ચ ॥૩૫॥
ભાવાર્થ - તે (ભક્તિ સાધન) વિષયત્યાગ અને સંગત્યાગથી સમ્પન્ન હોય છે.
 
अव्यावृत्तभजनात् ॥३६॥
અવ્યાવૃત્તભજનાત્ ॥૩૬॥
ભાવાર્થ - અખંડ ભજનથી (ભક્તિનું સાધન) સમ્પન્ન હોય છે.
 
लोकेऽपि भगवद्गुणश्रवणकीर्तनात् ॥३७॥
લોકેઽપિ ભગવદ્ગુણશ્રવણકીર્તનાત્ ॥૩૭॥
ભાવાર્થ - લોકસમાજમાં પણ ભગવદ ગુણ-શ્રવણ (ભક્તિનું સાધન) અને કીર્તનથી (ભક્તિનું સાધન) સમ્પન્ન હોય છે.
 
मुख्यतस्तु महत्कृपयैव भगवत्कृपालेशाद वा ॥३८॥
મુખ્યતસ્તુ મહત્કૃપયૈવ ભગવત્કૃપાલેશાદ વા ॥૩૮॥
ભાવાર્થ - (પ્રેમભક્તિની પ્રાપ્તિનું સાધન) મુખ્યતા મહાપુરુષોની કૃપાથી અથવા ભગવદ કૃપાના લેશ માત્રથી
(પ્રાપ્ત) થાય છે.
 
महत्सङ्गस्तु दुर्लभोऽगम्योऽमोघश्च ॥३९॥
મહત્સઙ્ગસ્તુ દુર્લભોઽગમ્યોઽમોઘશ્ચ ॥૩૯॥
ભાવાર્થ - પરંતુ મહાપુરુષોનો સંગ દુર્લભ, અગમ્ય અને અમોઘ છે.
 
लभ्तेऽपि तत्कृपयैव ॥४०॥
લભ્તેઽપિ તત્કૃપયૈવ ॥૪૦॥
ભાવાર્થ - એની (ભગવાનની) કૃપાથી જ (મહાપુરુષોનો) સંગ પણ મળે છે.
 
तस्मिंस्तज्जने भेदाभावात् ॥४१॥
તસ્મિંસ્તજ્જને ભેદાભાવાત્ ॥૪૧॥
ભાવાર્થ - કારણ કે ભગવાનમાં અને ભક્તમાં ભેદનો અભાવ હોય છે. (એટલે કે ભગવાન અને ભક્ત વચ્ચે કોઇ ભેદ હોતો નથી.)
 
तदेव साध्यतां तदेव साध्यताम् ॥४२॥
તદેવ સાધ્યતાં તદેવ સાધ્યતામ્ ॥૪૨॥
ભાવાર્થ - તેથી એની (મહત્સંગ – મહાપુરુષોના સંગની) જ સાધના કરો, એની જ સાધના કરો.
 
दुस्सङ्गः सर्वथैव त्याज्यः ॥४३॥
દુસ્સઙ્ગઃ સર્વથૈવ ત્યાજ્યઃ ॥૪૩॥
ભાવાર્થ - દુસંગનો સર્વદા (હંમેશા) જ ત્યાગ કરો.
 
कामक्रोधमोहस्मृतिभ्रंशबुद्धिनाशकारणत्वात् ॥४४॥
કામક્રોધમોહસ્મૃતિભ્રંશબુદ્ધિનાશકારણત્વાત્ ॥૪૪॥
ભાવાર્થ - કારણ કે તે (દુસંગ) કામ, ક્રોધ, મોહ, સ્મૃતિભ્રંશ (યાદ શક્તિનો નાશ), બુધ્ધિનાશ તથા સર્વનાશનું કારણ છે.
 
तरङगायिता अपीमे सङ्गात् समुत्रायन्ते ॥४५॥
તરઙગાયિતા અપીમે સઙ્ગાત્ સમુત્રાયન્તે ॥૪૫॥
ભાવાર્થ - આ (કામ, ક્રોધ, મોહ આદિ) પહેલા તરંગની જેમ આવી સમુદ્રનો આકાર લઇ લે છે. (તથા ખુબજ જલદી મનને ઘેરી લે છે.)
 
कस्तरति कस्तरति मायाम् यः सङ्गं त्यजति यो महानुभाव् सेवते निर्ममो भवति ॥४६॥
કસ્તરતિ કસ્તરતિ માયામ્ યઃ સઙ્ગં ત્યજતિ યો મહાનુભાવ્ સેવતે નિર્મમો ભવતિ ॥૪૬॥
ભાવાર્થ - (પ્રશ્ન) કોણ તરે છે? માયાથી કોણ તરે છે? (એટલે કે આ માયાથી ઘેરાયેલ સંસારમાંથી કોણ તરી જાય) (ઉત્તર) જે બધા સંગોનો પરિત્યાગ કરે છે, જે મહાનુભાવોની સેવા કરે છે, અને જે મમતા રહિત હોય છે.
 
यो विविक्तस्थानं सेवते यो लोकबन्धमुनमूनयति निस्त्रैगुण्यो भवति योगक्षेमं त्यजति ॥४७॥
યો વિવિક્તસ્થાનં સેવતે યો લોકબન્ધમુનમૂનયતિ નિસ્ત્રૈગુણ્યો ભવતિ યોગક્ષેમં ત્યજતિ ॥૪૭॥
ભાવાર્થ - જે નિર્જન સ્થાન પર નિવાસ કરે છે, જે લૌકિક બંધનોને તોડી નાખે છે, જે ત્રણે ગુણોથી પાર થઇ જાય છે, તથા જે યોગ અને ક્ષેમનો પરિત્યાગ કરી દે છે. (જે પ્રાપ્ત ન થાય એની પ્રાપ્તિને યોગ અને જે પ્રાપ્ત થાય તેના સંરક્ષણને ક્ષેમ કહેવાય, અર્થાત્ ન કશું મેળવવાની ઇચ્છા, ન કશું બચાવવાની ઇચ્છા)
 
यः कर्मफलं त्यजति कर्माणि सन्नयस्स्यति ततो निर्द्वन्द्वो भवति ॥४८॥
યઃ કર્મફલં ત્યજતિ કર્માણિ સન્નયસ્સ્યતિ તતો નિર્દ્વન્દ્વો ભવતિ ॥૪૮॥
ભાવાર્થ - જે કર્મ ફળનો ત્યાગ કરે છે, કર્મોનો પણ ત્યાગ કરે છે અને ત્યારે બધુ જ ત્યાગ કરીને જે નિદ્વંદ્વ થઇ જાય છે.
 
यो वेदानपि सन्नयस्यति केवलमविच्छिन्नानुरागं लभते ॥४९॥
યો વેદાનપિ સન્નયસ્યતિ કેવલમવિચ્છિન્નાનુરાગં લભતે ॥૪૯॥
ભાવાર્થ - જે વેદોનો પણ ભલીભાઁતિ પરિત્યાગ કરી દે છે, અને અખંડ, અસીમ ભગવત પ્રેમ પ્રાપ્ત કરી લે છે.
 
स तरति स तरति स लोकांस्तारयति ॥५०॥
સ તરતિ સ તરતિ સ લોકાંસ્તારયતિ ॥૫૦॥
ભાવાર્થ - તે તરે છે (આ માયાથી ઘેરાયેલ સંસારમાંથી), તે તરે છે, તથા લોકોને પણ પાર (કિનારે) લઇ જાય છે.
 
======== * ========

અધ્યાય ચોથો

દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર - અધ્યાય ચોથો
 
अनिर्वचनीयं प्रेमस्वरूपम् ॥५१॥
અનિર્વચનીયં પ્રેમસ્વરૂપમ્ ॥૫૧॥
ભાવાર્થ - પ્રેમનું સ્વરૂપ અનિર્વચનીય (કહી નહી શકાય તેવુ) છે.
 
मूकास्वादनवत् ॥५२॥
મૂકાસ્વાદનવત્ ॥૫૨॥
ભાવાર્થ - ગૂંગાના સ્વાદની જેમ.
 
प्रकाशते क्वापि पात्रे ॥५३॥
પ્રકાશતે ક્વાપિ પાત્રે ॥૫૩॥
ભાવાર્થ - કોઇ યોગ્ય પાત્રમાં (પ્રેમી ભક્તમાં) આવો પ્રેમ પ્રગટ પણ થાય છે.
 
गुणरहितं कामनारहितं प्रतिक्षणवर्धमानं अविच्छिन्नं सूक्ष्मतरं अनुभवरूपम् ॥५४॥
ગુણરહિતં કામનારહિતં પ્રતિક્ષણવર્ધમાનં અવિચ્છિન્નં સૂક્ષ્મતરં અનુભવરૂપમ્ ॥૫૪॥
ભાવાર્થ - આ પ્રેમ (પરમ પ્રેમરૂપા ભક્તિ) ગુણ રહિત છે, કામના રહિત છે, પ્રતિ ક્ષણ વધતી જાય છે, વિચ્છેદ રહિત છે, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતર છે અને અનુભવરૂપ છે.
 
तत्प्राप्य तदेवावलोकति तदेव शृणोति तदेव भाषयति तदेव चिन्तयति ॥५५॥
તત્પ્રાપ્ય તદેવાવલોકતિ તદેવ શૃણોતિ તદેવ ભાષયતિ તદેવ ચિન્તયતિ ॥૫૫॥
ભાવાર્થ - આ પ્રેમને (પરમ પ્રેમરૂપા ભક્તિને) મેળવીને પ્રેમી (પ્રેમી ભક્ત) આ પ્રેમને જ જુએ છે, પ્રેમને જ સાંભળે છે, પ્રેમનું જ વર્ણન કરે છે, અને પ્રેમનું જ હંમેશા ચિંતન કરે છે.
 
गौणि त्रिधा गुणभेदाद् आर्तादिभेदाद् वा ॥५६॥
ગૌણિ ત્રિધા ગુણભેદાદ્ આર્તાદિભેદાદ્ વા ॥૫૬॥
ભાવાર્થ - ગૌણી ભક્તિ ગુણભેદથી અથવા આર્તાદિભેદથી ત્રણ પ્રકારની હોય છે. (તામસી એટલે કે દંભી, રાજસી એટલે કે કંઇક મેળવવા માટે તથા સાત્વિકી એટલે કે ચિત્ત શુધ્ધ કરવા માટે એમ ત્રણ પ્રકારની ભક્તિ હોય છે.) (આર્તભક્તિ જગત ભોગથી મુક્તિ માટે, અર્થાત્ પ્રભુ પ્રાપ્તિ માટે કે જેમા જિજ્ઞાસુ પ્રભુ પ્રાપ્તિ માટેની તીવ્ર ઇચ્છા-સંયમની સ્થિતિ થી વૈરાગ્ય સુધી પહોંચે છે.)
 
उत्तरस्मादुत्तरस्मात् पूर्व पूर्वा श्रेयाय भवति ॥५७॥
ઉત્તરસ્માદુત્તરસ્માત્ પૂર્વ પૂર્વા શ્રેયાય ભવતિ ॥૫૭॥
ભાવાર્થ - એમાં પૂર્વ-પૂર્વ ક્રમની ભક્તિ, ઉત્તર-ઉત્તર ક્રમની ભક્તિ કરતા કલ્યાણકારિણી હોય છે.
(સાત્વિક રાગસિકથી કલ્યાણકારિણી ઇત્યાદિ)
 
अन्य मात् सौलभं भक्तो ॥५८॥
અન્ય માત્ સૌલભં ભક્તો ॥૫૮॥
ભાવાર્થ - અન્ય બધાની અપેક્ષા ભક્તિ સુલભ છે.
 
प्रमाणान्तरस्यानपेक्षत्वात् स्वयं प्रमाणत्वात् ॥५९॥
પ્રમાણાન્તરસ્યાનપેક્ષત્વાત્ સ્વયં પ્રમાણત્વાત્ ॥૫૯॥
ભાવાર્થ - કારણ કે ભક્તિ સ્વયં પ્રમાણરૂપ છે, તેથી અન્ય પ્રમાણની આવશ્યકતા નથી.
 
शान्तिरूपात् परमानन्दरूपाच्च ॥६०॥
શાન્તિરૂપાત્ પરમાનન્દરૂપાચ્ચ ॥૬૦॥
ભાવાર્થ - ભક્તિ શાંતિરૂપા અને પરમાનન્દરૂપા છે.
 
लोकहानौ चिन्ता न कार्या निवेदितात्मलोकवेदत्वात् ॥६१॥
લોકહાનૌ ચિન્તા ન કાર્યા નિવેદિતાત્મલોકવેદત્વાત્ ॥૬૧॥
ભાવાર્થ - લોકહાનિની ચિંતા (ભક્તોએ) નહીં કરવી જોઇએ, કારણ કે તેણે (ભક્તે) પોતાને, તથા લૌકિક અને વૈદિક (બધા પ્રકારના) કર્મોને ભગવાનને અર્પણ કરી દીધા છે.
 
न तत्सिध्दौ लोकव्यवहरओ हेयः किन्तु फलत्यागः तत्साधनं च ॥६२॥
ન તત્સિધ્દૌ લોકવ્યવહરઓ હેયઃ કિન્તુ ફલત્યાગઃ તત્સાધનં ચ ॥૬૨॥
ભાવાર્થ - પરંતુ જ્યાર સુધી ભક્તિમાં સિદ્ધિ ન મળે ત્યાં સુધી લોકવ્યવહારનો ત્યાગ નહી કરવો જોઇએ, પરંતુ કર્મોના ફળ ત્યાગ કરીને (નિષ્કામ ભાવથી) એ ભક્તિનું સાધન કરવું જોઇએ.
 
स्त्रिधननास्तिकचरित्रं न श्रवणीयम् ॥६३॥
સ્ત્રિધનનાસ્તિકચરિત્રં ન શ્રવણીયમ્ ॥૬૩॥
ભાવાર્થ - સ્ત્રી, ધન, નાસ્તિક, અને વેરીનું ચરિત્ર નહી સાંભળવું જોઇએ.
 
अभिमानदम्भादिकं त्याज्यम् ॥६४॥
અભિમાનદમ્ભાદિકં ત્યાજ્યમ્ ॥૬૪॥
ભાવાર્થ - અભિમાન, દંભ વગેરેનો ત્યાગ કરવો જોઇએ.
 
तदर्पिताखिलाचारः सन् कामक्रोधाभिमानादुकं तस्मिन्नेव करणीयम् ॥६५॥
તદર્પિતાખિલાચારઃ સન્ કામક્રોધાભિમાનાદુકં તસ્મિન્નેવ કરણીયમ્ ॥૬૫॥
ભાવાર્થ - બધા આચાર ભગવાનને અર્પણ કર્યા પછી પણ જો કામ, ક્રોધ, અભિમાન વગેરે હોય તો તે પણ ભગવાનના પ્રતિ જ કરવા જોઇએ.
 
त्रिरूपभङ्गपूर्वमकम् नित्यदास्यनित्यकान्ताभजनात्मकं प्रेम कार्य प्रेमैव कार्यम् ॥६६॥
ત્રિરૂપભઙ્ગપૂર્વમકમ્ નિત્યદાસ્યનિત્યકાન્તાભજનાત્મકં પ્રેમ કાર્ય પ્રેમૈવ કાર્યમ્ ॥૬૬॥
ભાવાર્થ - ત્રણ રૂપોનો (સ્વામી, સેવક, અને સેવા અથવા પ્રિયતમ, પ્રિયતમા અને પ્રેમ) ભંગ કરી નિત્ય દાસ ભક્તિથી અથવા નિત્ય કાંતા ભક્તિથી પ્રેમ જ કરવો જોઇએ, પ્રેમ જ કરવો જોઇએ.
 
======== * ========

અધ્યાય પાંચમો

દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર - અધ્યાય પાંચમો
 
भक्ता एकान्तिनो मुख्याः ॥६७॥
ભક્તા એકાન્તિનો મુખ્યાઃ ॥૬૭॥
ભાવાર્થ - એકાંત (અનન્ય) ભક્ત જ શ્રેષ્ઠ છે. (એકાંત – જેનો પ્રેમ ફક્ત ભગવાન માટે હોય.)
 
कण्ठावरोधरोमञ्चाश्रुभिः परस्परं लपमानाः पावयन्ति कुलानि पृथिवीं च ॥६८॥
કણ્ઠાવરોધરોમઞ્ચાશ્રુભિઃ પરસ્પરં લપમાનાઃ પાવયન્તિ કુલાનિ પૃથિવીં ચ ॥૬૮॥
ભાવાર્થ - આવા અનન્ય ભક્ત કણ્ઠાવરોધ, રોમાઞ્ચ અને અશ્રુ યુક્ત નેત્રોથી પરસ્પર સમ્ભાષણ કરતા તેના કુળને અને પૃથ્વીને પવિત્ર કરે છે.
 
तीर्थिकुर्वन्ति तीर्थानि सुकर्मी कुर्वन्ति कर्माणि सच्छास्त्रिकुर्वन्ति शास्त्राणि ॥६९॥
તીર્થિકુર્વન્તિ તીર્થાનિ સુકર્મી કુર્વન્તિ કર્માણિ સચ્છાસ્ત્રિકુર્વન્તિ શાસ્ત્રાણિ ॥૬૯॥
ભાવાર્થ - આવા ભક્ત તીર્થોને સુતીર્થ, કર્મોને સુકર્મ, અને શાસ્ત્રોને સત્-શાસ્ત્ર કરી દે છે.
 
तन्मयाः ॥७०॥
તન્મયાઃ ॥૭૦॥
ભાવાર્થ - કારણ કે તે તન્મય છે. (આવા ભક્તમાં પ્રભુનાં ગુણ પરિલક્ષિત થવા લાગે છે.)
 
मोदन्ते पितरो नृत्यन्ति देवतः सनाथा चेयं भूर्भवति ॥७१॥
મોદન્તે પિતરો નૃત્યન્તિ દેવતઃ સનાથા ચેયં ભૂર્ભવતિ ॥૭૧॥
ભાવાર્થ - (આવા ભક્તના આવિર્ભાવ જોઇને) પિતરગણ પ્રમુદિત થાય છે, દેવતા નાચવા લાગે છે, અને આ પૃથ્વી સનાથા થઇ જાય છે.
 
नास्ति तेषु जातिविद्यारूपकुलधनक्रियादि भेदः ॥७२॥
નાસ્તિ તેષુ જાતિવિદ્યારૂપકુલધનક્રિયાદિ ભેદઃ ॥૭૨॥
ભાવાર્થ - આવા ભક્તમાં જાતિ, વિદ્યા, રૂપ, કુળ, ધન, અને ક્રિયાદિનો કોઇ ભેદ નથી.
 
यतस्तदीयाः ॥७३॥
યતસ્તદીયાઃ ॥૭૩॥
ભાવાર્થ - કારણ કે બધા ભક્ત ભગવાનના જ છે.
 
वादो नावलम्ब्यः ॥७४॥
વાદો નાવલમ્બ્યઃ ॥૭૪॥
ભાવાર્થ - ભક્તે વાદ-વિવાદ નહી કરવો જોઇએ.
 
बाहुल्यावकाशत्वाद अनियतत्त्वाच्च ॥७५॥
બાહુલ્યાવકાશત્વાદ અનિયતત્ત્વાચ્ચ ॥૭૫॥
ભાવાર્થ - કારણ કે વાદ-વિવાદમાં બાહુલ્યનો અવકાશ છે અને તે અનિયત છે. (વિવાદ ભક્તિ માટે નથી, પ્રતિષ્ઠા માટે હોય છે.)
 
भक्तिशस्त्र्राणि मननीयानि तदुद्बोधकर्माणि करणीयानि ॥७६॥
ભક્તિશસ્ત્ર્રાણિ મનનીયાનિ તદુદ્બોધકર્માણિ કરણીયાનિ ॥૭૬॥
ભાવાર્થ - (પ્રેમા ભક્તિની પ્રાપ્તિ માટે) ભક્તે શાસ્ત્રોનું મનન કરતું રહેવું જોઇએ અને એવા કર્મ પણ કરવા જોઇએ જેનાથી ભક્તની વૃદ્ધિ થાય.
 
सुखदुःखेच्छालाभादित्यके प्रतीक्ष्यमाणे क्षणार्धमपि व्यर्थ न नेयम् ॥७७॥
સુખદુઃખેચ્છાલાભાદિત્યકે પ્રતીક્ષ્યમાણે ક્ષણાર્ધમપિ વ્યર્થ ન નેયમ્ ॥૭૭॥
ભાવાર્થ - સુખ, દુઃખ, ઇચ્છા, લાભ, વગેરેનો (પૂર્ણ) ત્યાગ થઇ જાય એવા કાળની રાહ જોયા વિના અડધી ક્ષણ પણ (ભજન વિના) વ્યર્થ કાઢવી જોઇએ નહી.
 
अहिंसासत्यशौचदयास्तिक्यादिचारित्रयाणि परिपालनीयानि ॥७८॥
અહિંસાસત્યશૌચદયાસ્તિક્યાદિચારિત્રયાણિ પરિપાલનીયાનિ ॥૭૮॥
ભાવાર્થ - (પ્રેમા ભક્તિના સાધકે) અહિંસા, સત્ય, શૌચ, દયા, આસ્તિકતા આદિ આચરણીય સદાચારોનું ભલીભાઁતિ પાલન કરવું જોઇએ.
 
सर्वदा सर्वभावेन निश्चिन्तैः भगवानेव भजनीयः ॥७९॥
સર્વદા સર્વભાવેન નિશ્ચિન્તૈઃ ભગવાનેવ ભજનીયઃ ॥૭૯॥
ભાવાર્થ - દરેક સમયે, સર્વભાવથી નિશ્ચિંત થઇને (ફક્ત) ભગવાનના જ ભજન કરવા જોઇએ.
 
स कीर्त्यमानः शीघ्रमेवाविर्भवत्यनुभावयति भक्तान् ॥८०॥
સ કીર્ત્યમાનઃ શીઘ્રમેવાવિર્ભવત્યનુભાવયતિ ભક્તાન્ ॥૮૦॥
ભાવાર્થ - એ ભગવાન (પ્રેમપૂર્વક) કીર્તિત થવાથી તુરંત જ પ્રકટ થાય છે અને ભક્તોને તેમનો અનુભવ કરાવી દે છે.
 
त्रिसत्यस्य भक्तिरेव गरीयसी भक्तिरेव गरीयसी ॥८१॥
ત્રિસત્યસ્ય ભક્તિરેવ ગરીયસી ભક્તિરેવ ગરીયસી ॥૮૧॥
ભાવાર્થ - ત્રણેય (કાયિક, વાચિક, માનસિક) સત્યોમાં (અથવા ત્રણેય કાળોમાં સત્ય ભગવાનની) ભક્તિ જ શ્રેષ્ઠ છે, ભક્તિ જ શ્રેષ્ઠ છે.
 
गुणमाहात्म्यासक्ति रूपासक्ति पूजासक्ति स्मरणासक्ति दास्यासक्ति सख्यासक्ति वात्सल्यसक्ति कान्तासक्ति आत्मनिवेदनासक्ति तन्मयतासक्ति परमविरहासक्ति रूपा एकधा अपि एकादशधा भवति ॥८२॥
ગુણમાહાત્મ્યાસક્તિ રૂપાસક્તિ પૂજાસક્તિ સ્મરણાસક્તિ દાસ્યાસક્તિ સખ્યાસક્તિ વાત્સલ્યસક્તિ કાન્તાસક્તિ આત્મનિવેદનાસક્તિ તન્મયતાસક્તિ પરમવિરહાસક્તિ રૂપા એકધા અપિ એકાદશધા ભવતિ ॥૮૨॥
ભાવાર્થ - આ પ્રેમારૂપ ભક્તિ એક હોવા છતાંય;
૧) ગુણમાહાત્મ્યાસક્તિ – જગતને ભગવાનનું પ્રકટ માની તેના પર આસક્તિ
૨) રૂપાસક્તિ – ઇન્દ્રિયાતીત, ચૈતન્ય સ્વરૂપ, આનંદપ્રદ, સત્ રૂપમાં આસક્તિ
૩) પૂજાસક્તિ – ભગવાનની પૂજા કરવામાં આસક્તિ
૪) સ્મરણાસક્તિ – ભગવાનનું સદા સ્મરણ કરવામાં આસક્તિ
૫) દાસ્યાસક્તિ – સ્વયંને પ્રભુનો દાસ માની તેના પર આસક્તિ
૬) સખ્યાસક્તિ – પ્રભુ બધાનો મિત્ર છે એમ માની તેના પર આસક્તિ
૭) કાંતાસક્તિ – એક પ્રભુ જ પુરુષ છે, બાકી બધા પ્રિયતમા છે. એવું માનવું
૮) વાત્સલ્યાસક્તિ – પ્રભુને સંતાન માનવું ૯) આત્મનિવેદનાસક્તિ – પ્રભુને સર્વસ્વ સમર્પણ કરી દેવામાં આસક્તિ
૧૦) તન્મયતાસક્તિ – પ્રભુમાં તન્મય, તેમની સાથે અભિન્નતા
૧૧) પરમવિરહાસક્તિ – પ્રભુથી વિયોગનો અનુભવ કરીને, પુનઃ મિલનની તડપના પ્રતિ આસક્તિ
- એમ અગિયાર પ્રકારની હોય છે.
 
इत्येवं वदन्ति जनजल्पनिर्भयाः एकमतः कुमार व्यास शुख शाण्डिल्य गर्ग विष्णु कौण्डिन्य शेषोध्दवारुणि बलि हनुमद विभीषणादयो भक्त्याचार्याः ॥८३॥
ઇત્યેવં વદન્તિ જનજલ્પનિર્ભયાઃ એકમતઃ કુમાર વ્યાસ શુખ શાણ્ડિલ્ય ગર્ગ વિષ્ણુ કૌણ્ડિન્ય શેષોધ્દવારુણિ બલિ હનુમદ વિભીષણાદયો ભક્ત્યાચાર્યાઃ ॥૮૩॥
ભાવાર્થ - કુમાર (સનત્કુમારાદિ), વેદવ્યાસ, શુક્રદેવ, શાણ્ડિલ્ય, ગર્ગ, વિષ્ણુ, કૌણ્ડિન્ય, શેષ, ઉદ્ધવ, આરૂણિ, બલિ, હનુમાન, વિભીષણ, આદિ ભક્તિતત્વના આચાર્યગણ લોકોની નિન્દા-સ્તુતિનો કોઇ પણ ભય કર્યા વિના એકમતથી એવું જ કહે છે કે ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે.
 
य इदं नारदप्रोक्तं शिवानुशासनं विश्वसिति श्रध्दते स भक्तिमान् भवति सः प्रेष्टं लभते सः प्रेष्टं लभते ॥८४॥
ય ઇદં નારદપ્રોક્તં શિવાનુશાસનં વિશ્વસિતિ શ્રધ્દતે સ ભક્તિમાન્ ભવતિ સઃ પ્રેષ્ટં લભતે સઃ પ્રેષ્ટં લભતે ॥૮૪॥
ભાવાર્થ - જે કોઇ પણ આ નારદોક્ત (નારદજી કથિત) શિવાનુશાસનમાં (અર્થ આ શિવથી શરુ થયેલ વિદ્યા છે, નારદજી કેવળ આનું કથન કરી રહ્યા છે.) વિશ્વાસ અને શ્રધ્ધા કરે છે, તે પ્રિયતમને પામે છે, તે પ્રિયતમને પામે છે.
 
॥ देवर्षि नारद भक्ति सूत्र सम्पूर्ण ॥
॥ દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર સમ્પૂર્ણ ॥
 
======== * ========